SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશ તીર્થંકર કરી. ઉદ્યાન પાલકોએ “ઉદ્યાનમાં અજિતનાથ સ્વામી સમવસય છે.' એ સમાચાર સગરચક્રીને જણાવ્યા. પ્રભુ સમવસયના વૃત્તાંતથી સગર ચક્રવર્તી એવા હર્ષિત થયા કે જેવો હર્ષ ચક્રરત્નની ઉત્પત્તિથી પણ થયો નહિ હોય. સગરચક્રીએ ઉદ્યાનપાલકોને બાર કોટિ સુવર્ણ ઉપહારમાં આપ્યું. અને તરત જ સગરચક્રી સહસ્ત્રાપ્રવન તરફ જવા વિદાય થયા. એમણે ઉત્તરદ્વાર તરફથી સમવસરણમાં પ્રવેશ કર્યો. સગરચક્રીએ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા અને નમસ્કાર કરીને સ્તુતિ કરી. સ્તુતિમાં દેવકૃત ૧૯ અતિશયોનું વર્ણન કર્યું ત્યારબાદ અજિતનાથ સ્વામીએ મધુરસ્વરોમાં ધમદશના દેવાનો આરંભ કર્યો. અજિતનાથ સ્વામીએ આગમ, હેતુવાદ, આજ્ઞા વિચય ધ્યાન અપાય-વચય ધ્યાન વિષે સંબોધન કર્યું. કર્મનું જે ફળ તે વિપાક કહેવાય છે તે વિપાક શુભ અને અશુભ એમ બે પ્રકારના છે. કર્મના સિદ્ધાંતોનું વર્ણન કરતાં અજિતનાથ સ્વામીએ દ્રવિપાક, ક્ષેત્રવિપાક, કાળવિપાક, ભાવવિપાકજ્ઞાનવરણીય કર્મ નાવરણીય કર્મી વેદનીય કર્મ મોહનીય કર્મ, આયુષ્યકર્મ, નામ કર્મ. ગૌત્ર કર્મ. અંતરાય કમી વિષે ઉચ્ચારીને સમજણ આપી. અજિતનાથ સ્વામીએ ધર્મદિશનામાં સંસ્થાના વિચળ ધ્યાન વિષેની પણ વાત કરી. રત્નપ્રભાદિ, જ્યોતિષ મંડળ, અંબુદ્વીપ, લવણ સમુદ્ર, ભરતક્ષેત્ર સહિત અનેક ક્ષેત્રોની ઝીણવટભરી માહિતી ધર્મદિશનામાં ઉચ્ચારી. એ રીતે સર્વ જીવોના હિતકારી શ્રી અજિતનાથ સ્વામીએ ત્રણ જગતરૂપી કુમુદને આનંદ કરવામાં કૌમુદીરૂપ ધર્મદિશના આપી. સ્વામીની દેશના સાંભળીને હજારો નર તથા નારીઓએ પ્રતિબોધ પામીને પ્રવજ્યાનો માર્ગ અંગીકાર કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy