________________
શ્રી અજિતનાથ સ્વામી
૩૫
વિહાર કરતાં કરતાં સહસ્ત્રાપ્રવન નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં સપ્તચ્છદ વૃક્ષની નીચે પ્રભુ કાયોત્સર્ગે રહ્યા. આ સમયે પ્રભુ અપ્રમત્ત-સંયત નામના સાતમા ગુણસ્થાનથી અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનને ભજવા લાગ્યા. પછી જેને વિષે સર્વજીવના તુલ્ય પ્રમાણ હોય છે એવા અનિવૃતિ બાદર નામના નવમાં ગુણસ્થાન ઉપર આરૂઢ થયા. ત્યાર પછી લોભરૂપી કષાયના સૂક્ષ્મખંડ કરવા માટે સૂક્ષ્મસંપરાય નામના ગુણસ્થાનને પ્રાપ્ત થયા.
. ત્યારબાદ ત્રણ જગતનાં સર્વ જીવોના કમોનો ક્ષય કરવામાં સમર્થ એવા પ્રભુ મોહનો ક્ષય કરી ક્ષીણમોહ નામના બારમાં ગુણસ્થાનને પ્રાપ્ત થયા. એ બારમા ગુણસ્થાનના છેલ્લા સમયમાં પ્રભુ એકત્વશ્રુત પ્રવિચાર નામે શુકલધ્યાનના બીજા પાયાને પ્રાપ્ત થયા. મન સર્વથા નિવૃત્તિને પામી ગયું. ઘાતિક સર્વ તરફથી લય પામ્યા.
અને પોષ માસની શુકલ એકાદશીને દિવસે ભગવાન અજિતનાથસ્વામીને ઉજ્વળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
ઈદ્ર અવધિજ્ઞાન ભારત જાણ્યું કે પ્રભુને કેવળજ્ઞાન થયું છે. તરત જ સિંહાસન છોડીને અહતની દિશામાં વંદન કરીને સર્વ દેવતાઓ સહિત તે જિનેન્દ્રની સમીપ આવ્યા.
દેવતાઓએ સમવસરણની રચના કરી.
પ્રભુએ પૂર્વ દ્વારેથી પ્રવેશ કરીને ચૈત્યવક્ષને પ્રદક્ષિણા કરી. પછી તીર્થાય નમઃ' એ વાક્ય વડે તીર્થને નમસ્કાર કરી મધ્યના સિંહાસન ઉપર પૂર્વાભિમુખે ભગવંત બેઠા.
સહસ્ત્રાપ્રવન જેવા મોટા ઉદ્યાનમાં દેવ, દાનવ, મનુષ્ય અને તીર્થંચની એક ધર્મસભા ભરાઈ ગઈ. ચતુર્વિધ સંઘ યથાસ્થાને બેઠો હતો.
ઈદ્ર ભગવાન અજિતનાથ સ્વામીની ભાવભર્યા હૈયે સ્તુતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org