________________
૩૪
ચોવીશ તીર્થકર
ઉચ્ચારતા મોક્ષમાર્ગમાં વાહનતુલ્ય એવા ચારિત્રરૂપી રથ પર આરૂઢ થયા. અજિતનાથ સ્વામીને તત્કાળ ચોથું મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુની સાથે એક હજાર રાજાઓએ દીક્ષા ગ્રહણ
કરી.
બીજે દિવસે અજિતનાથ સ્વામીએ બ્રહ્મદર રાજાના ઘેર ક્ષીરવડે છઠ્ઠ તપનું પારણું કર્યું. તત્કાળ બ્રહ્મદર રાજાના ગૃહાંગણમાં દેવતાઓએ સાડાબાર કોટિ સુવર્ણ દ્રવ્યની તથા સર્વશ્રેષ્ઠ પ્રકારનાં વસ્ત્રોની વૃષ્ટિ કરી, પંચવણ પુષ્પોની વૃષ્ટિ થઈ. વળી અહોદાન..અહોદાન..એવો હર્ષધ્વનિ કરતાં હર્ષિત ચિત્તવાળા દેવતાઓ ઊંચા પ્રકારના જયજય શબ્દપૂર્વક આકાશમાં બોલવા લાગ્યા : અરે. આ પ્રભુને આપેલું સુદાન જુઓ કે જેના પ્રભાવથી દાતાપુરુષ તત્કાળ અતુલ્ય વૈભવવાળો થાય છે. કોઈ આ ભવમાં જ મુક્ત થાય છે. કોઈ બીજા ભવમાં મુક્તિને વરે છે, કોઈ ત્રીજા ભવમાં મુક્ત થાય છે. અથવા કલ્પાતીત (રૈવેયક અને અનુત્તર વિમાન) કલ્પોમાં ઉત્પન્ન થાય છે. પ્રભુને અપાતી ભિક્ષા જેઓ જુએ છે તેઓ પણ દેવતાઓ જેવા નિરોગી શરીરવાળા થાય છે.
- અજિતનાથ સ્વામી રાજા બ્રહ્મદત્તને ત્યાંથી પારણું કરીને બહાર નીકળ્યા, પ્રભુનાં પગલાંને કોઈ ઉલ્લંઘન કરે નહિ એવું ધારીને બ્રહ્મદત્ત રાજાએ તે પગલાં ઉપર રત્નો વડે એક પીઠ કરાવી, ત્યાં જિનેશ્વર ભગવંત રહ્યા છે એમ માનતો રાજા, બ્રહ્મદત્ત તે પીઠની ત્રણ કાળે પુષ્પાદિક વડે પૂજાથી કરવા લાગ્યો.
પ્રભુ અજિતસ્વામીએ અખંડિત સમિતિ પાળતા અન્યત્ર વિહાર કર્યો. એ પ્રમાણે વિવિધ પ્રકારના ઉગ્ર તપોથી અને વિવિધ પ્રકારના અભિગ્રહોથી પરીષહન કરનારા પ્રભુ અજિતનાથ સ્વામીએ બાર વર્ષ ઉલ્લંઘન કર્યાં.
એક વાર અજિતનાથ સ્વામી નગર, અરણ્ય. ગામેગામથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org