________________
શ્રી અજિતનાથ સ્વામી
ધામધૂમપૂર્વક ઉજવ્યો. આ પ્રસંગે નગરીના લોકાએ ભારે ઉત્સાહ અને ઉમંગ બતાવ્યો હતો.
સગરકુમારના રાજ્યાભિષેકનો પ્રસંગ પૂર્ણ થયા પછી અજિતસ્વામીએ દૃઢ સંકલ્પ સાથે વાર્ષિક દાન આપવાનો આરંભ કર્યો. અજિતસ્વામીએ રાજ્યમાં ચોરે અને ચૌટે ઘોષણા કરાવી કે આવો અને ધન પ્રાપ્ત કરો..
૩૩
અજિતસ્વામીએ સૂર્યોદયથી મધ્યાહ્નના સમય સુધી ધન અર્પણની ધારા વહેવડાવી. દરરોજ એક ક્રોડ અને આઠ લાખ સૌનેયા આપતાં એક વર્ષે ત્રણસો અઠયાસી ક્રોડ અને એંસી લાખ સૌનેયા પ્રભુએ દાનમાં આપ્યા.
વાર્ષિક દાનના અંતે ઇંદ્રનું આસન કંપાયમાન થયું. એટલે અવધિજ્ઞાનથી પ્રભુનો દીક્ષા અવસર જાણી. ભગવાનનો નિષ્ક્રમણોત્સવ કરવા માટે સામાનિક વગેરે દેવતાની સાથે ઇંદ્ર પ્રભુ પાસે આવ્યા.
વિનીતાનગરમાં વાયુવેગે સમાચાર પ્રસરી ગયા કે મહારાજા અજિતનાથસ્વામી સર્વત્યાગના પંથને અજવાળવા જઈ રહ્યા છે. નવા રાજવી સગરકુમારે અજિતસ્વામીનો દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાય તે માટેની ભવ્ય તૈયારીઓ આરંભી દીધી હતી. તેમાં ઇંદ્રાદિ દેવતાઓનો સહયોગ સાંપડ્યો.
માધ માસની ઉજ્જ્વળ નવમીને દિવસે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યો હતો. ત્યારે સપ્તચ્છદ વૃક્ષની નીચે અજિતનાથસ્વામીએ છઠ્ઠનો તપ કરીને સાયંકાળે ચગાદિકની જેમ પોતાના સર્વકેશનો પંચમુષ્ઠિએ સ્વયંમેવ લોચ કર્યો. સૌધર્મેદ્ર તે કેશને પોતાના ઉત્તરીય વસ્રના છેડામાં પ્રસાદથી મળેલા અર્થની જેમ ગ્રહણ કર્યાં અને ક્ષણવારમાં તે કેશને ક્ષીર સમુદ્રમાં ક્ષેપન કર્યા.
અજિતનાથસ્વામીએ સિદ્ધોને નમસ્કાર કરીને સામાયિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org