SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨. ચોવીશ તીર્થંકર દેવતાઓના શબ્દોથી અજિતનાથ સ્વામીના હૈયામાં વૈરાગ્યધારણ કરવાની કામના પ્રબળ બની. તત્કાળ સગરકુમારને બોલાવીને અજિતનાથ સ્વામીએ કહ્યું : સગરકુમાર, હવે આ રાજ્યની ધુરા સંભાળો. અને મને સંસાર સમુદ્ર તરવા માટેની રજા આપો.” અજિતનાથ સ્વામીના આ શબ્દોથી સગરકુમાર પર જાયે વજઘાત થયો હોય તેવું લાગ્યું. સગરકુમારે દુઃખી થતાં કહ્યું : “હે દેવ, આપની મેં એવી શું અભક્તિ કરી છે જેથી આપ મને જુદો પાડવાની આવી આજ્ઞા આપો છો ? હું પણ આપના ચરણનું અવલંબન લઈને સંસાર સમુદ્રને તરી જઈશ. હું પણ આપની સાથે પ્રવજ્યાનો માર્ગ ધારણ કરીશ. હું કઈ રીતે અહીં રહેવાનો નથી. માટે આપ મારા પર આટલી પ્રસન્નતા વરસાવો.” અજિતનાથ સ્વામીએ કહ્યું : “સગરકુમાર, સંયમ ગ્રહણ કરવા માટેનો તમારો વિચાર યુક્ત છે. પરંતુ હજુ તમારું ભોગફળ કર્મ ક્ષય પામેલું નથી. માટે તમે પણ મારી જેમ ભોગફળ કર્મ ભોગવીને પછી યોગ્ય અવસરે પ્રવજ્યા ગ્રહણ કરજો. યુવરાજ, કમથી આવેલા આ રાજ્યને તમે ગ્રહણ કરો અને સંયમરૂપી સામ્રાજ્યને અમે ગ્રહણ કરીશું.” અજિતનાથ સ્વામીના મધુર વચનો સાંભળીને સગરકુમાર મનમાં વિચારવા લાગ્યા કે એક તરફ સ્વામીનો વિરહ અને તેમની આજ્ઞાનો અતિક્રમ એ બંને મને દુઃખનાં કારણ છે. પરંતુ વિચાર કરતાં ગુરુની આજ્ઞા પાળવી તે શ્રેષ્ઠ જણાય છે. આ રીતે વિચારીને સગરકુમારે ગદ્ગદિત થઈને અજિતનાથસ્વામીની આજ્ઞાને શિરોમાન્ય કરી. અને ઉત્તમ દિવસ આવતાં મહારાજા અજિતનાથસ્વામીએ સગરકુમારના રાજ્યાભિષેકનો મહોત્સવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy