SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અજિતનાથ સ્વામી - ૩૧ અને જિતશત્રુ રાજાએ અજિત સ્વામીનો પોતાના હાથે રાજ્યાભિષેક કર્યો. અજિતસ્વામીએ સગરકુમારને યુવરાજપદ સ્થાપ્યા ત્યારબાદ અજિતનાથે જિતશત્રુ રાજાનો વિધિવત ભવ્ય રીતે નિષ્ક્રમણોત્સવ કર્યો. એમણે ઋષભસ્વામીના તીર્થમાં વર્તતા સ્થવિર મહારાજાની પાસે દીક્ષા ગ્રહણ કરી. સમય જતાં જિતશત્રુરાજાને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં શૈલેશી ધ્યાનમાં રહેલા તે મહાત્મા અષ્ટકર્મનો ક્ષય કરીને પરમપદને પામ્યા. આ તરફ અજિતનાથ સ્વામીએ રાજ્યની ધુરા સંભાળી, રાજ્યનું સંચાલન કરવા લાગ્યા. અંતરમાં અપૂર્વ સમતાભાવ રમતો હતો. તે દરેક વસ્તુને અનિત્ય જાણીને તૃણતુલ્ય ગણતા હતા. આ રીતે રાજ્ય પાળતા અજિત મહારાજાએ કૌમાર વયથી માંડીને ત્રેપન લાખ પૂર્વ સુખપૂર્વક નિર્ગમન કર્યા. એક દિવસ સભા વિસર્જન કરીને મહારાજા અજિતનાથ સ્વયં વિચારના વૃંદાવનમાં રમવા લાગ્યા. તેઓ ચિંતવવા લાગ્યા કે આજ સુધીમાં ઘણાં ખરાં ભોગફળ કર્મ ભોગવાઈ ગયેલાં છે હવે આ સંસારમાં બંધનોમાં વધારે સમય ઝકડાઈને રહેવું ન જોઈએ. કારણ કે સંસારમાં અનેક જવાબદારીઓ અને કર્તવ્યો પ્રત્યે સભાનતા કેળવવી પડે છે. સંસારમાં રહીને આત્મકલ્યાણની કેડીનો માર્ગ કપરો થઈ પડે છે. સંસારથી જેમનું ચિત્ત નિર્વેદ પામેલું છે એવા અજિતસ્વામીને આવી ચિંતામાં મગ્ન થયેલા જાણીને સારસ્વતાદિક લોકાંતિક દેવતાઓ ત્યાં આવીને વિનમ્ર ભાવે કહેવા લાગ્યા કે હે ભગવનું, આપ સ્વયં બુદ્ધ છો, તેથી અમે આપને કોઈ બોધ આપવા માટે લાયક નથી. પરંતુ એટલું જરૂર યાદ આપીએ કે આપ ધર્મતીર્થ પ્રવર્તાવો.' આટલું કહીને દેવતાઓ પોતાના સ્થાને વિદાય થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy