________________
૩૦
ચોવીશ તીર્થંકર
-
-
-
-
જોડાવા માટે જણાવ્યું. અજિતકુમારે પિતા અને ઈદ્રના આગ્રહથી પોતાના ભોગ ફળકમને જાણીને તે પ્રમાણે કરવાનું સ્વીકાર્યું અજિતકુમારની સાથે સેંકડો રાજકન્યાઓ વિવાહિત થઈ. સગરકુમારના પણ અનેક રાજકન્યાઓ સાથે વિવાહ થયા આનંદપ્રમોદમાં દિવસો વ્યતીત થતા હતા.
એક દિવસ રાજા જિતશત્રુએ અજિત તથા સગરકુમારને કહ્યું : “કુમારો, હવે અમે વ્રત ગ્રહણ કરીશું આપણા વંશનો આ ક્રમ છે. અમારી જેમ તમે બંને આ રાજ્યમાં રાજા અને યુવરાજ થાઓ. અને અમને દીક્ષા લેવાની આજ્ઞા આપો.”
ત્યારે અજિતનાથે કહ્યું : “પિતાજી, આપની વાતને સત્કારું છું. વિવેકી પુરુષો બીજા કોઈને વ્રત ગ્રહણ કરવામાં વિદ્ભકારી થતા નથી. પરંતુ મારી એટલી જ પ્રાર્થના છે કે મારા લઘુપિતા. (કાકા) રાજ્યની ઘુરા સંભાળે, કારણ કે આપના એ વિનયવંત લઘુભ્રાતા અમારાથી અધિક છે.”
આ સાંભળી સુમિત્ર વિજયે કહ્યું : “રાજ્ય ગ્રહણ કરવા માટે હું સ્વામીના ચરણને છોડીશ નહિ. રાજ્યથી, સામ્રાજ્યથી, ચક્રવર્તીપણાથી અને દેવપણાથી પણ વિદ્વાનો ગુરુ સેવાને અધિક માને છે.” અજિતકુમારે વિનયભર્યા સ્વરે કહ્યું : “જો આપ રાજ્ય પ્રહણ કરવા ઇચ્છતા ન હોતો આપ ભવનમાં જ રહો....”
ત્યારે રાજા જિતશત્રુએ નાનાભાઈને સમજાવતાં કહ્યું : સુમિત્ર, આગ્રહ કરનાર આ પુત્રનું વચન સ્વીકારો. આ સાક્ષાત્ તીર્થકર છે અને એમના તીર્થમાં તમારી ઈચ્છા સિદ્ધ થવાની છે. એક પુત્રને ધર્મચક્રીપણું અને બીજાને ચક્રવર્તીપણું પ્રાપ્ત થયેલું છે તે જોવાથી બધાથી વિશેષ સુખ મેળવશો.'
સુમિત્ર વિજય કશું ન બોલ્યા. તેમની દીક્ષા ગ્રહણ કરવાની પ્રબળ ઈચ્છા હતી પરંતુ મહારાજાની આજ્ઞાને શિરોમાન્ય રાખી.
અને બીજા મારી ઇચ્છા છે. આ સ
બધથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org