________________
શ્રી અજિતનાથ સ્વામી
થઈને પ્રભુને નમસ્કાર કરીને કહ્યું : “હે ભગવન્, આજ્ઞા આપો.' આટલું કહીને ગોશીર્ષસથી લિપ્ત કરેલા પોતાના હાથમાં પ્રભુને ગ્રહણ કર્યાં બીજા ઈંદ્રે સુંદર છત્ર પ્રભુની ઉપર ધારણ કર્યું બે ઈંદ્રોએ બે પડખે ઊભા બે ચામરો ધારણ કર્યાં. અને એક ઇંદ્ર પ્રતિહારની જેમ પ્રભુને જોતો આગળ ચાલ્યો એની પાછળ દેવો તથા દેવતાઓનો સમૂહ હતો. ઈંદ્ર પ્રભુને લઈને મેરુ પર્વત પર આવ્યા. ત્યાં અતિ પાંડુકંબલા નામની શિલા પાસે આવીને રત્નસિંહાસન પર પોતાના ખોળામાં પ્રભુને લઈને પૂર્વાભિમુખ બેઠા અને દેવો-દેવતાઓની ઉપસ્થિતિમાં પ્રભુનો જન્મોત્સવ રચાયો. જન્મઅભિષેક થયો.
ત્યારબાદ ઇંદ્ર પ્રભુને યથાસ્થાને મૂકીને પોતાના સ્થાને ગયા. તે જ રાત્રીએ પ્રભુના જન્મ પછી થોડી વારે વૈજયંતીએ એક પુત્રને સુખેથી પ્રસવ્યો.
રાજભવનમાં મંગલ વાઘોના ધ્વનિ ગુંજી ઊઠ્યા.
મહારાજા જિતશત્રુએ પુત્ર અને ભત્રીજાના જન્મોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરી.
૨૯
રાજાએ જિતશત્રુએ પોતાના પુત્રનું નામ અજિત પાડ્યું અને ભાઈના પુત્રનું નામ સગર પાડ્યું.
સમય પસાર થવા લાગ્યો.
વરસો પસાર થયાં.
અજીતકુમારે સર્વ શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું. દંતઘાત, મદાવસ્થા, અંગલક્ષણ અને ચિકિત્સાથી પૂર્ણ ગજલક્ષણ જ્ઞાન અજીતકુમારે ઉપદેશ વિના જ જાણી લીધું હતું. એ રીતે સગરકુમારે સર્વશાસ્ત્રોનું જ્ઞાન તેમજ યુદ્ઘકલાનું જ્ઞાન સંપાદન કરી લીધું.
અજીતકુમાર યુવાવય પામ્યા ત્યારે જિતશત્રુ રાજાએ તથા ઇન્દ્રે રાગ રહિત એવા અજિતકુમારને વિવાહના બંધનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org