SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ચોવીશ તીર્થંકર અહંતુ આગમથી અમે જાણેલું છે. તેથી આ વિજયાદેવીના પુત્ર તે તીર્થકર જાણવા અને વૈજયંતીરાણીના પુત્ર પખંડ ભરતના અધિપતિ ચકી જાણવા.” મહારાજા જિતશત્રુએ નિમિતજ્ઞોને ઉપહારમાં અમૂલ્ય ચીજો આપી. દિવસો પસાર થવા લાગ્યા. નવ માસ અને સાડા આઠ દિવસ પસાર થયા પછી માઘ માસની શુકલ અષ્ટમીના દિવસે શુભ મુહૂર્ત રોહિણી નક્ષત્રમાં વિજયાદેવીએ ગજલાંછનવાળા એક પુત્રને જન્મ આપ્યો. ચારે તરફ શુભ સૂચક શકુનો થવા લાગ્યા. દિકકુમારિકાઓ, દિશાકુમારિકાઓ સૂતિકાગૃહમાં આવીને જિનેન્દ્ર અને જિનમાતાને ત્રણ વાર પ્રદક્ષિણા કરી અને સ્તુતિ કરવા લાગી. શકેન્દ્રનું આસન કંપાયમાન થતાં એણે અવધિજ્ઞાનથી જાયું અને મનમાં ચિંતવ્યું “અહો...જબુદ્દીપના ભારત વર્ષમાં વિનીતાનગરીના રાજા જિતશત્રુને ત્યાં રાણી વિજયાદેવીની કુક્ષીથી આ અવસર્પિણીમાં બીજા તીર્થંકર ઉત્પન્ન થયેલા છે.” તરત જ શક્રેન્દ્રદેવે દેવ દેવતાઓને એકઠા કર્યા અને પ્રભુના જન્માભિષેક અર્થે તરત જ જવાનું સૂચન કર્યું. તરત જ ઈન્દ્ર, શક્રેન્દ્રદેવો વગેરે વિનીતાનગરીમાં આવ્યા. ઈન્દ્ર તીર્થંકરની માતા વિજયાદેવીને વિનયભર્યા સ્વરે કહ્યું : “ઉદરમાં રત્નને ધારણ કરનારા, વિશ્વને પવિત્ર કરનારા અને જગત દીપકને આપનારા હે જગતમાતા, હું તમને નમસ્કાર કરું છું. તમે બીજા તીર્થંકર ભગવંતને જન્મ આપ્યો છે. હું સૌધર્મપતિ ઈદ્ર પ્રભુનો જન્મમહોત્સવ કરવાને માટે અહીં આવ્યો છું. આપ જરાય ભય પામશો નહિ' આટલું કહીને ઇન્દ્ર વિજયાદેવી પર અવસ્થાપિની નિદ્રા મૂકી. તીર્થંકરનું બીજું રૂપ રચીને તેમની પડખે મૂક્યું. પછી તરત જ પોતાનાં પાંચ રૂપ કર્યો. તે પાંચ ઇદ્રોમાંથી એકે અતિ હર્ષિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy