________________
શ્રી અજિતનાથ સ્વામી
રીતે આ નગરીને અત્યંત સુશોભિત રીતે શણગારી દો.... એમ જ થયું.
ઇંદ્રની આજ્ઞા થતાં કુબેરે વિનીતાનગરીને અલકાપુરી જેવી રચી દીધી.
તે જ રાત્રીએ સુમિત્રવિજય યુવરાજની પત્ની વૈજયંતીએ પણ ચૌદ સ્વપ્નો નિહાળ્યાં હતાં. વૈજયંતીનું બીજું નામ યશોમતી. હતું.
૨૭
વિજયાદેવી અને વૈજયંતીએ બાકી રહેલી રાત્રી જાગૃત રહીને જ પસાર કરી. પ્રાતઃકાળે વિજયાદેવીએ પોતાને આવેલા સ્વપ્નાની વાત મહારાજા જિતશત્રુને કરી ત્યારે વૈજયંતીએ પોતાને આવેલાં ચૌદ સ્વપ્નોની વાત સુમિત્રવિજયને કરી.
વિજયાદેવીનાં ચૌદ સ્વપ્નાં જેવા જ સ્વપ્ના વૈજયંતીને આવ્યાં હતાં. મહારાજા જિતશત્રુ તથા યુવરાજ સુમિત્રવિજયે રાજભવનમાં નિમિત્તજ્ઞોને બોલાવ્યા.નિમિત્તજ્ઞોએ સ્વપ્નાનું ફળકથન કહ્યું.
હે રાજન, સ્વપ્નશાસ્ત્રમાં બોતેર સ્વપ્નો કહ્યાં છે. તેમાં જ્યોતિષ્ક દેવોમાં ગ્રહના જેમ ત્રીસ સ્વપ્નો ઉત્કૃષ્ટ જણાવ્યા છે. તે ત્રીસ સ્વપ્નમાં આ ચૌદ સ્વપ્નને તે શાસ્ત્રના ચતુર વિદ્વાનો મહાસ્વપ્નો કહે છે. જ્યારે તીર્થંકર અથવા ચક્રવર્તી ગર્ભમાં આવે છે ત્યારે તેની માતા અનુક્રમે સ્વપ્નો રાત્રીનાં ચોથા પ્રહરે જીએ છે. એમાંથી સાત સ્વપ્ન વાસુદેવની માતા જુએ છે, ચાર બલભદ્રની માતા જુએ છે. અને એક મંડલેશ્વરની માતા જુએ છે. એક સાથે બે તીર્થંકર અને એક સાથે બે ચક્રવર્તી થતા નથી. એક માતાના પુત્ર તીર્થંકર અને બીજી માતાના પુત્ર ચક્રવર્તી થાય છે. ૠષભદેવના સમયમાં ભરતચક્રી થયા છે અને અજિતનાથના સમયમાં સુમિત્રવિજયના પુત્ર સગરરાજા ચક્રી થશે. તેમજ જિતશત્રુ રાજાના પુત્ર બીજા તીર્થંકર અજિત નામે થશે, એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org