________________
૨૬
ચોવીશ તીર્થંકર
છઠ્ઠા સ્વપ્નમાં ચંદ્રને નિહાળવામાં આવ્યો. સાતમાં સ્વપ્નમાં સૂર્યનાં દર્શન થયાં. આઠમા સ્વપ્નામાં રત્નમય ધ્વજ જોવામાં આવ્યો.
નવમા સ્વપ્નમાં મંગળ ગૃહતુલ્ય પૂર્ણકુંભ જોવામાં આવ્યો.
દસમા સ્વપ્નમાં પઘસરોવર દેખાયું.
અગિયારમા સ્વપ્નમાં સમુદ્ર અને બારમાં સ્વપ્નમાં ઉત્તમ વિમાન જોવામાં આવ્યું.
તેરમા સ્વપ્નમાં રત્નપુંજ જોવામાં આવ્યો. ચૌદમા સ્વપ્નમાં નિધૂમ અગ્નિ જોવામાં આવ્યો.
એવી પરિપાટીએ એ ચૌદ સ્વપ્નો વિજયાદેવીને પોતાના મુખકમળમાં ભ્રમરાની પેઠે પ્રવેશ કરતા જોવામાં આવ્યાં.
આ સમયે ઇન્દ્રનું આસન ડોલ્યું. એણે અવધિજ્ઞાનથી જોવાથી તીર્થકર મહારાજાનો ઉદ્ભવ થયેલો જાણીને ઈદ્ર વિચારવા લાગ્યા કે વિનીતાપુરીના મહારાજા જિતશત્રુ રાજાની રાણી વિજયાદેવીના ઉદરમાં અવતરેલા આ અવસર્પિણીમાં કરુણા રસના સમુદ્ર એવા બીજા તીર્થકર ભગવંત થશે.
તરત જ ઇદ્ર પોતાના આસન પરથી ઊભા થઈને તીર્થંકરની દિશા સન્મુખ સાત-આઠ પગલાં ચાલીને. ઉત્તરાસંગ કરીને. જમણો ઢીંચણ ભૂમિ પર રાખીને, ડાબો ગોઠણ જરા નમાવીને એણે ભગવંતને નમસ્કાર કર્યો. એ પછી તરત જ ઈન્દ્ર અને બીજા દેવો વિનીતાનગરીએ આવ્યા. રાણી વિજયાદેવીના શયનખંડમાં દેવોએ મોતીઓના સાથિયા પૂય સુવર્ણ-રત્નોથી તોરણો રચ્યાં.
છેદ્ર વિજયાદેવીને પોતાનો પરિચય આપીને તીર્થકરના જન્મ સૂચવનારું સ્વપ્નોનું ફળ કહ્યું. ત્યાર પછી કુબેરને આજ્ઞા કરી કે જે રીતે ઋષભદેવના સમયે આ નગરીને રત્નાદિથી પૂરેલી હતી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org