________________
ર
: શ્રી અજિતનાથ સ્વામી
ત્રણ જગતના સ્વામી આદિ તીર્થકર ભગવંત શ્રી ઋષભનાથ દેવના મોક્ષકાળ પછી તેમના ઈક્વાકુવંશમાં અસંખ્ય રાજાઓ થઈ ગયા અને શુભ ભાવ વડે સિદ્ધિપદને પામ્યા.
શ્રી ઋષભદેવ ભગવંતની નગરી વિનીતામાં અનંતર જિતશત્રુ નામના રાજા થયા.
જિતશત્રુ રાજા ન્યાયી, પરાક્રમી અને ધર્મિષ્ઠ હતા.
જિતશત્રુના નાનાભાઈનું નામ સુમિત્રવિજય હતું. સુમિત્રવિજય યુવરાજપણાને ધારણ કરતો હતો.
જિતશત્રુ રાજાની રાણીનું નામ વિજયાદેવી હતું. વિજયાદેવી સુશીલ, સંસ્કારી અને ગુણી સ્ત્રી હતી.
એક દિવસ તીર્થંકર નામ કર્મ બાંધનારો વિમલવાહન રાજાનો જીવ વિજય નામના વિમાનથી આવીને વિજયાદેવીની. કુક્ષીમાં વૈશાખ માસની ત્રયોદશીને દિવસે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર પુત્રરત્નપણે ઉત્પન્ન થયો. તે રાત્રીના અંતિમ પ્રહરમાં વિજયાદેવીએ ચૌદ સ્વપ્નો જોયાં.
પ્રથમ સ્વખે મેઘને ઉલ્લંઘન કરતો ઐરાવત હતિ જોયો.
બીજા સ્વપ્ન ઊંચા શૃંગ વડે સુંદરશરદ ઋતુના મેઘ જેવો શ્વેત અને સુંદર ચરણવાળો જાણે ગમ કૈલાસ પર્વત હોય તેવો વૃષભ જોયો.
ત્રીજા સ્વપ્ન કેસરી સિંહ દેખાયો.
ચોથા સ્વપ્નમાં બે હસ્તી બંને તરફ પૂર્ણકુંભને ઊંચા કરીને જેના ઉપર અભિષેક કરી રહ્યા છે એવી અને કમળના આસનવાળી લક્ષ્મીદેવીને જોઈ.
પાંચમા સ્વપ્નમાં પુષ્પમાળાનાં દર્શન થયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org