SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભદેવ સ્વામી ગણધરની પ્રતિમાયુક્ત એક મહાપ્રસાદ કરાવ્યો. શ્રી ઋષભદેવ સ્વામી પણ તે તીર્થ પર અનેક વાર આવ્યા હતા. એવું શાસ્ત્રમાં જણાવાયું છે કે પ્રથમ તીર્થંકર શ્રી ૠષભદેવ વિહાર કરતા કરતા અનેક દેવતાઓ સહિત નવાણું પૂર્વ વાર સુધી શત્રુંજય તીર્થ પર સમવસર્યા. એટલે કે (૬૯૦૮૫૪૪૦૦૦00000000) ઓગણોસીતેર કોડાકોડી પંચાશી કોડાકોડ, ચુમાલીસ લાખ હજાર કોડ વર્ષ સુધી. શ્રી ઋષભદેવ સ્વામીએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. એમણે વીસ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં, ત્રેસઠ લાખ પૂર્વ રાજ્ય-પદવીમાં, એક લાખ પૂર્વ સાધુપણામાં, એ પ્રમાણે કુલ ચોર્યાસી લાખ પૂર્વનું આયખું પાળીને હવે પોતાનું નિર્વાણ પાસે આવ્યું છે તે જાણીને દસ હજાર સાધુ સહિત અષ્ટાપદ પર્વત ઉપર આવીને ચૌદ ભક્તે (છ) ઉપવાસે અનસન ગ્રહ્યું. આસન કંપવાથી સૌધર્મેદ્રાદિ ચોસઠ દ્રો પણ ત્યાં આવ્યા. ભરતદેવ ચક્રવર્તી પણ ત્યાં આવ્યા. ત્યાં ત્રીજા આરાના નેવ્યાસી પખવાડિયાં બાકી રહે ત્યારે મહા વદી તૈરસના દિવસે અભિજિત નક્ષત્રે, ભવોપગ્રાહી કર્મ ક્ષીણ થવાથી પર્યંક આસને બેઠેલા એવા શ્રી ઋષભદેવે મુક્તિનો સ્વીકાર કર્યો. તે વખતે સમગ્ર સાધુઓના અષ્ટકર્મ ક્ષય પામવાથી તેઓ પણ મુક્તિપદ પામ્યા. ૨૩ દેવતાઓએ પૂર્વ દિશાએ પ્રભુની ગોશીષ ચંદનની ચિતા રચી ઈક્ષ્વાકુ મુનિઓની ચિતા દક્ષિણ દિશામાં અને બીજા મુનિઓની પશ્ચિમ દિશામાં, એમ ત્રણેય ચિતા ચોખૂણી રચી. આ પ્રમાણે અગ્નિસંસ્કાર કર્યા પછી તેમની ભસ્મને દેવતાઓએ અને નરપતિઓએ વાંદી. ત્યાર પછી બ્રહ્મચારીઓએ ત્યાંથી ત્રણ અગ્નિ ગ્રહણ કરી. ત્યારબાદ દેવતાઓ પોતપોતાના સ્થાને ગયા. ભરત ચક્રવર્તીએ ઋષભદેવ નિર્વાણ પામ્યા તે સ્થાનકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy