________________
૨૨
ચોવીશ તીર્થંકર
મને સાવ નિમલ્ય જણાય છે.” માતા મરુદેવા ભાવવિભોર બન્યાં હતાં.
મરુદેવા આંખોમાં હર્ષનાં આંસુ ઠાલવીને ગળગળા સ્વરે બોલ્યાં : “સંસારમાં પુત્રો માતાને પ્રણામ કરે પણ આજ માતા પુત્રને પ્રણામ કરે છે.ધન્ય છે.! તારું શાસન ધન્ય છે.”
અને માતા મરુદેવાએ જોરથી ચિત્કાર કર્યો. એ સાથે જ કંઈક કડાકો થયો.
તત્કાળ સમકાળે અપૂર્વકરણના ક્રમથી ક્ષેપક શ્રેણીમાં આરૂઢ થઈ, આઠ કર્મને ક્ષીણ કરીને માતા મરુદેવાએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે જ વખતે આયુષ્ય પણ પૂર્ણ કર્યું.
અલંકૃત કેવળી થઈ સ્વામિની મરુદેવા હસ્તી સ્કંધ પર આરૂઢ થયેલા અવ્યયપદ (મોક્ષ)ને પામ્યા. આ અવસર્પિણીમાં મરુદેવા પ્રથમ સિદ્ધ થયા. તેમના શરીરનો સત્કાર કરીને દેવતાઓએ ક્ષીર સમુદ્રમાં નિક્ષિપ્ત કર્યું.
આ તરફ મહારાજા ભરત રાજચિહનો ત્યાગ કરીને પરિવાર સહિત પગે ચાલીને ઉત્તર દિશાના દ્વારેથી સમવસરણમાં પ્રવેશ કર્યો.
ઋષભદેવ સ્વામી દેશના આપી રહ્યા હતા.
કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ઋષભદેવ સ્વામીએ એક લાખ પૂર્વ સુધી પૃથ્વી પર વિહાર કર્યો.
શ્રી ઋષભદેવ સ્વામીના પ્રથમ ગણધર પુંડરિક સ્વામી ચૈત્ર શુદિ પુનમના દિવસે પાંચ ક્રોડ સાધુઓ સહિત વિમલગિરિ (શત્રુજ્ય) ઉપર મુક્તિ પામ્યા ત્યાં ભારતે આવીને ઋષભદેવ અને પુંડરિક ગણધરના શરીર પ્રમાણે કાંચન બલાન કરાવ્યાં.
ભરતદેવે શત્રુંજય તીર્થ ઉપર ઋષભદેવ જિન તથા પુંડરિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org