________________
શ્રી ઋષભદેવ સ્વામી
ફાગણ વદ અગિયારસનો દિવસ.
ઉત્તરષાઢા નક્ષત્રના યોગમાં પ્રાત:કાળે ઋષભદેવ સ્વામીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. તે જ સમયે સર્વ દેવોએ મળીને ત્યાં સમવસરણ રચ્યું. એટલે પ્રભુ નમો હિન્દુસ્સ’ એમ કહીને સિંહાસન પર બિરાજયા ત્યાં બાર પર્ષદા દેશના શ્રવણ કરવાને બેઠી.
મહારાજા ભરત અને માતા મરુદેવા વગેરે સૌને આ સમાચાર સાંભળવા મળ્યા અને રાજા ભરતે માતા મરુદેવાને હાથીની અંબાડી પર બેસાડ્યાં. ભરતરાજા પણ હાથીની. અંબાડી પર માતાની સાથે બેસી ગયો.
આ સમયે આખું નગર ઉત્સાહ આનંદના રસસાગરમાં ડૂબીને સૌ ઉદ્યાન ભણી પ્રભુના દર્શનાર્થે જઈ રહ્યાં હતાં.
માર્ગમાં હાથીની અંબાડી પર બિરાજેલાં માતા મરુદેવા ભરતને કહેતાં હતાં કે મારો ઋષભ દેખાય એટલે જણાવજે.
પરંતુ ઉદ્યાન તો હજુ દૂર હતું.
રાજહસ્તીની પાછળ અનેક બીજા હસ્તીઓ આવી રહ્યા હતા. એની પાછળ રથો, શિબિકાઓ, અશ્વો વગેરે આવી રહ્યા.
માતા મરુદેવાએ ભરતને કહ્યું : “ભરત, જો સામે મારો ઋષભ દેખાય છે. વટવૃક્ષના મૂળમાં દેખાય છે.! એણે ચારે તરફ પ્રકાશનું કેવું વર્તુળ રહ્યું છે.? પણ હું કંઈ મારા ઋષભને થોડી ભૂલી જાઉં..!"
માતાજી, અમે હજુ પ્રભુને જોઈ શકતા નથી ત્યાં તો તમે જોઈ લીધા કે શું...?” ભરતદેવે કહ્યું.
“ભરત, આંખોમાં તો અજવાળાં થઈ રહ્યાં છે. આ તો મારા ઋષભનો ચમત્કાર છે. એક શાસનનો ત્યાગ કર્યો તો એણે એનાથી ભારે શાસન જમાવ્યું. એને જોઈને બધા કેવા આનંદિત બની ગયા છે. ભરત, આ પ્રેમશાસનની પાસે તારું આ શાસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org