SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશ તીર્થંકર રાજા બાહુબલીના નેત્રોમાંથી આંસુઓની ધારા વહેવા માંડી. તેમનું હૈયું ગદ્ગદિત બન્યું. બાહુબલી તરત જ તે સ્થાન પાસે ગયા કે જ્યાં ઋષભદેવે રાત્રીકાળ પસાર કર્યો હતો. એ ધરતી સુંદર લક્ષણવાળા પદ્મ ચિહ્નોથી યુક્ત હતી. એ પદ્મ ચિહ્નો જોતાંની સાતે જ બાહુબલીનું વજ્ર જેવું લાગતું હૈયું ભાંગી પડ્યું. રાજા બાહુબલી અશ્રુ સારવા લાગ્યા. બાહુબલીના મંત્રીઓએ રાજાને આશ્વાસન આપ્યું. રાજા બાહુબલીએ ત્યાં રત્નમય ધર્મચક્રનું સ્થાપન કર્યું. આઠ યોજન વિસ્તારવાળું, ચાર યોજન ઊંચું અને સહસ્ત્ર આરાવાળું તે ધર્મચક્ર જાણે આખું સૂર્યબિંબ હોય તેવું શોભવા લાગ્યું. ૨૦ આ તરફ માતા મરુદેવા અને રાજા ભરતદેવને સમાચાર મળી ચૂક્યા હતા કે પૃથ્વીનાથે ભિક્ષા ગ્રહણ કઈ રીતે કરી તથા તે પ્રસંગનું તાદશ્ય વર્ણન ગજપુર નિવાસી એક પ્રવાસીએ કર્યું હતું. માતા મરુદેવાની આંખમાં આંસુ ઊપસી આવ્યાં. તેઓ બોલ્યાં : ‘ઓહ, હું કેવી કમભાગી છું...! હું નિરાંતે રાજભવનમાં બેઠી છું અને દીકરો વનેવનમાં ભૂખ્યો અને તરસ્યો ફરે છે. શ્રેયાંસ કેવો સદ્ભાગી છે...!' ભરતે મરુદેવાને કહ્યું : માતા, જેણે મહાન ઉન્નતિ માટે સર્વસ્વનો ત્યાગ કર્યો હોય એને આવા વિચારો આવતા જ ન હોય. આપ જે પ્રકારની ચિંતા સેવી રહ્યાં છો તે વ્યર્થ છે.’ ત્યાં જ સમાચાર જાણવા મળ્યા કે ઋષભદેવ સ્વામી પુરિમતાલના શકટાનન નામના ઉદ્યાનમાં પધાર્યા છે. આ સમાચાર સાંભળીને રાજા ભરત અને મરુદેવાના હર્ષનો પાર ન રહ્યો. જ્યારે ઋષભદેવ સ્વામી શકટાનન ઉદ્યાનમાં અઠ્ઠમનો તપ કરીને મૌન ધારણ કરીને એક વૃક્ષની નીચે ઊભા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy