SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભદેવ સ્વામી સર્વ દેવવૃક્ષના કુસુમ સમૂહથી સંચય કરેલ હોય તેવા ગંધોદકની વૃષ્ટિ દેવતાઓએ કરી. જાણે આકાશને વિચિત્ર વાદળમય કરતાં હોય તેમ દેવતાઓ તથા મનુષ્યો ઉજ્જ્વળ વસ્ત્રો ઉત્સેપ કરવા લાગ્યા. વૈશાખ માસની શુકલ તૃતીયાને દિવસે આપેલું તે દાન અક્ષય થયું, તેથી તે પર્વ અક્ષય તૃતીયાના નામથી અદ્યાપિ સુધી પ્રવર્તે છે. જગતમાં દાનધર્મ શ્રેયાંસથી પ્રવર્તો અને બાકીનો સર્વ વ્યવહાર અને નીતિનો ક્રમ ભગવંતથી પ્રવર્તો. ૧૯ , ઋષભદેવ વિહાર કરતાં કરતાં એક દિવસ બાહુબલીના રાજ્યમાં આવી પહોંચ્યા. બહતી નામના દેશની તક્ષશિલા નામની અત્યંત સુંદર નગરીમાં બાહુબલી, રાજ્યનો કારભાર સંભાળી રહ્યા હતા. નગરીના ઉદ્યાનમાં પૃથ્વીનાથ ઋષભદેવ પધયા છે એ સમાચાર વાયુવેગે નગરીમાં પ્રસરી ગયા. રાજા બાહુબલીએ નગરીને શણગારવાની સૂચનાઓ આપી. બી.જે દિવસે પ્રાતઃકાળે બાહુબલી, રાણી વસંતતિલકા હસ્તી પર બેસીને ઋષભદેવના દર્શનાર્થે જવા વિદાય થયા. જ્યાં ઋષભદેવ ઊતર્યા હતા. તે ઉપવનમાં બાહુબલી, રાજપરિવાર તથા નગરજનો વાજતેગાજતે આવી પહોંચ્યા. પણ આ શું ? ઉપવનનો રક્ષક ઉદાસ ચહેરે બેઠો હતો. બાહુબલીએ ઉદાસીનું કારણ પૂછ્યું. ત્યારે ઉપવનના રક્ષકે વિષાદપૂર્ણ ભાવે કહ્યું : ‘કૃપાનાથ, રાત્રી જેમ સરી જાય તેમ રાત્રીની સાથે જ પૃથ્વીનાથ અન્યત્ર ચાલ્યા ગયા. તેઓ કયા માર્ગેથી પસાર થયા હશે તે જાણી શકાયું નથી.’ આ સાંભળીને બાહુબલી હતપ્રભ થઈ ગયા. તેઓ કશું બોલી ન શક્યા. થોડી વાર તો એમને એમ સ્થિર ભાવે ઊભા રહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy