________________
ચોવીશ તીર્થંકર
ઋષભદેવ સ્વામીને દ્વારે ઊભેલા જોયા. પ્રભુને જોતાં જ પૂર્વજન્મનું જ્ઞાન પ્રાપ્ત થયું.
શ્રેયાંસકુમાર અતિ આનંદિત થઈને પ્રભુના ચરણોમાં પડ્યો. શ્રેયાંસકુમારે પ્રભુના મુખકમલનું અવલોકન કર્યું અને એણે કહ્યું : “અરે..પ્રભુ તો ક્ષુધાથી ક્ષામકુક્ષી છે, જેણે સર્વસ્વ તર્યું છે, એને હાથી, ઘોડા, મણિ મુક્તાની શી જરૂર છે ? અરે કોઈ દોડો, ત્યાં તાજા ઈક્ષરસ (શરડી)ના ઘડા તૈયાર છે. લાવો...પ્રભુની સુધા અને તૃષા બને એનાથી શાંત થશે.”
સેવકો ઘડા લેવા દોડ્યા.
પણ શ્રેયાંસને જરા પણ વિલંબ પોષાતો નહોતો. આથી તે જાતે દોડીને ઘડા લઈ આવ્યો. અને એણે ભક્તિભાવપૂર્વક પ્રભુ સાયે ધય.
પ્રભુએ એ લેવા માટે હાથ લંબાવ્યા.
ધન્ય છે શ્રેયાંસ તને...! સદા સીધા રહેતા હસ્ત આજ તારી તરફ પ્રભુએ લંબાવ્યા.
અરે આ પૃથ્વીના પતિએ આજ સુધી ઊંચા હાથે જ સૌને આપ્યું હતું. પણ આજ તારું આપ્યું સ્વીકાર્યું નીચા હાથે...ધન્ય છે શ્રેયાંસ તને..!
શ્રેયાંસ ઈક્ષરસોના કુંભો પ્રભુના હસ્તરૂપી પાત્રમાં ખાલી કરવા લાગ્યો.
ભગવાન ઋષભદેવના હસ્ત પાત્રમાં ઘણો રસ સમાયો પણ શ્રેયાંસના હૈયામાં તેટલો હર્ષ સમાયો નહિ. તે નૃત્ય કરવા દલાગ્યો.
આકાશમાં પ્રતિનાદથી વૃદ્ધિ પામેલાં દુદુભિઓ ધ્વનિ કરવા લાગ્યા. મનુષ્યોના નેત્રના આનંદાશ્રુની વૃષ્ટિ સાથે આકાશમાંથી દેવતાઓએ રત્નોની વૃષ્ટિ કરી. પંચવર્ણના પુષ્પોની પણ વૃષ્ટિ કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org