SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભદેવ સ્વામી વસ્તુઓને તેઓ શું કરે ? આ રીતે મૌનવ્રત ધારણ કરીને આત્મરમણતામાં રમતા ઋષભદેવ ગામેગામ વિચારવા લાગ્યા. ૠષભદેવ પ્રભુની કાંચનવરણી કાયા પર રજકણો ભરાયા છે. ક્ષુધાથી ક્ષામ કુક્ષી છે. કેટલાય દિવસોથી મૌનવ્રત પાળી રહ્યાં છે. કંઈ લેતા નથી. તૃષાવંત છે છતાં કંઈ પાન કરતા નથી. શ્રમવંત હોવા છતાં વિશ્રામ લેતા નથી. જ્યારે જુઓ ત્યારે જાગૃત અવસ્થામાં જ... ૧૭ પ્રભુને અન્ન ન લીધાને દિવસોના દિવસો વ્યતીત થઈ ગયા. દીક્ષા અને મૌનવ્રત ધારણ કર્યા પછી તેમણે અનો દાણો પેટમાં નાખ્યો નથી. અને એક દિવસ વિહાર કરતાં કરતાં ઋષભદેવ સ્વામી ગજપુર નગરમાં આવ્યા. ગજપુર નગરમાં પ્રભુના સ્વાગતની ભવ્ય તૈયારીઓ થઈ. નગરજનોએ તો પોતાના ઘરબાર સુધ્ધાં અર્પણ કરી દીધાં. કોઇએ મણિ-મુક્તાની રેલમછેલ કરી પણ પ્રભુને આ કંઇ ખપતું નથી. ગજપુર નગરીના રાજવી સોમયશના ભવનમાં આ ચર્ચાની વાતો આવી. ગજપુર નગરીના રાજા સોમયશ એટલે બાહુબલીના પુત્ર. રાજા સોમયશના પુત્ર શ્રેયાંસકુમાર. શ્રેયાંસકુમારના કાને ઋષભદેવ પ્રભુ પધાર્યાના સમાચાર આવ્યા ત્યારે તેઓ આનંદિત બની ઊઠ્યા. એને થયું કે પોતાના દાદાના પિતા છે. શ્રેયાંસકુમાર અતિ હર્ષિત બનીને પ્રભુને વંદના કરવા જવાની તૈયારી કરી રહ્યો છે ત્યાં સમાચાર આવ્યા કે પ્રભુ રાજભવન ભણી આવી રહ્યા છે. શ્રેયાંસકુમાર તરત જ રાજભવનના દ્વારે આવ્યો તો ચો. તી. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy