SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પોતાનાં એકાંત ભક્તોની યાચનાનું ખંડન કરતા નથી. આ તરફ સૌધર્મપતિએ તે કેશને ક્ષીરસમુદ્રમાં નાખી આવીને રંગાચાર્યની પેઠે મુષ્ઠિ સંજ્ઞાથી વાજિંત્રોનું નિવારણ કર્યું. ૠષભદેવ સ્વામીએ દેવ, અસુર અને મનુષ્યોની સમક્ષ સિદ્ધને નમસ્કાર કરીને સઘળા સાવધ યોગનું પ્રત્યાખ્યાન કરું છું એટલું કહીને મોક્ષમાર્ગના રથતુલ્ય ચારિત્ર ગ્રહણ કર્યું. પ્રભુના દીક્ષોત્સવથી નારકીના જીવોને પણ ક્ષણવાર સુખ ઉત્પન્ન થયું. જાણે દીક્ષાની સાથે સંકેત કરીને રહેલું હોય તેમ મનુષ્યક્ષેત્રમાં રહેલા સર્વસંશી પંચેન્દ્રિય જીવોના મનોદ્રવ્યને પ્રકાશ કરનારું મન:પર્યવ જ્ઞાન તરત જ ઋષભદેવ સ્વામીને ઉત્પન્ન થયું. ચોવીશ તીર્થંકર પ્રભુએ મંથર ગતિએ ડગ માંડ્યા. અનેક લોકો ઋષભદેવ સ્વામીના પંથે જવા તૈયાર થયા પરંતુ રાજા ભરતે તેમને રોક્યા અને જવાબદારીનું ભાન કરાવ્યું. છતાં ચાર હજાર જેટલા રાજાઓ ૠષભદેવની સાથે ચાલી નીકળ્યા અને દીક્ષા ગ્રહણ કરી. પ્રભુ થોડી વારમાં અયોધ્યાવાસીઓની દ્રષ્ટિમાંથી અદૃશ્ય થયા. પૂર્વે બાંધેલા કર્મના ઉદયથી પારણાના દિવસે પરિભ્રમણ કરતાં પ્રભુને નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત થઈ શકી નહિ, કારણ કે સમગ્ર જનસમૂહ ગોચરીમાં કયા પ્રકારનો આહાર અપાય એ વિષે અજ્ઞાત હતો. લોકોને ૠષભદેવ સ્વામી પ્રત્યે અનન્ય ભક્તિ હતી પરંતુ વિવેક અને સમજ વગરની ભક્તિના કારણે ઘણીવાર મુશ્કેલી સર્જાતી હોય છે. કોઈ પ્રભુને ગોચરી રૂપે હાથી આપવા લાગ્યા તો કોઈ કુલીન કન્યાઓ, કોઈ સુવર્ણનાણું, તો કોઇ અલંકારોની ભેટ ધરવા લાગ્યા પરંતુ પ્રભુ તો અપરિગ્રહી હતા. પરિગ્રહ માત્રનો એમણે ત્યાગ કર્યો હતો. પછી આવા પ્રકારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy