________________
શ્રી ઋષભદેવ સ્વામી
ઋષભદેવ સ્વામીએ એકવાર એકત્રિત થયેલા વિશાળ માનવસમુદાય અને દેવતાઓ ભણી દૃષ્ટિ કરી.
વાતાવરણમાં ભારે ઉત્તેજના જન્મી હતી.
માનવસમુદાયમાં ચર્ચા શરૂ થઈ હતી : અરે....! ગંધ, માલ્ય અને આભૂષણોના ત્યાગથી ૠષભદેવ કેવા સુંદર દેખાય છે...!
પણ આ શું...?
ઋષભદેવે પોતાની એક મુષ્ટિથી દાઢી અને મૂછના વાળની ગુચ્છાને ચૂંટી કાઢ્યો.
દીધી.
૧૫
બીજી મુષ્ટિમાં મસ્તકના કેશનો એક ગુચ્છો ચૂંટાયો. ત્રીજી મુષ્ટિમાં મસ્તકના વાળનો બીજો ગુચ્છો ચૂંટાયો. સર્વત્ર હાહાકાર મચી ગયો. સ્રીઓએ આંખો બંધ કરી
અને..
ચોથી મુષ્ટિ બિડાઈને ત્રીજો ગુચ્છો નીકળી આવ્યો. પ્રભુના કેશને સૌધર્મપતિએ પોતાના વસ્ત્રના છેડામાં ગ્રહણ કર્યાં. ૠષભદેવ પ્રભુએ પાંચમી મુષ્ટિથી બાકીના કેશનો લોચ કરવાની ઇચ્છા વ્યક્ત કરી.
ત્યારે ઇન્દ્રે આગળ આવીને પ્રાર્થના કરી : પ્રભુ, હવે તેટલી કેશવલ્લી રહેવા દો, કેમકે જ્યારે પવનથી ઊડીને તે તમારા સુવર્ણના જેવી કાંતિવાળા ખભાના ભાગ ઉપર આવે છે ત્યારે મસ્તક મણિની જેમ શોભે છે....
દેવી સુમંગલાએ પણ પાંચમી મુષ્ટિ કેશલોચન ન કરવા વિનવણી કરી.
અને ઋષભદેવે પાંચમી મુષ્ટિ પાછી ફેરવી. મસ્તક પરની તેટલી કેશવલ્લીને તેવી રીતે જ રહેવા દીધી. કારણ કે સ્વામીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org