________________
૧૪
ચોવીશ તીર્થંકર
પહેલાં તો આશ્ચર્યમુગ્ધ બનેલા મનુષ્યોએ ત્યારબાદ દેવતાઓએ જાણે મૂર્તિમંત પોતાનો પુણ્યભાર હોય તેમ શિબિકાને ઉપાડી.
આ સમયે સુર અને અસુરોએ હર્ષથી વગાડેલાં મંગળ વાજિંત્રોએ પોતાના નાદથી પુષ્કરાવતક મેઘની જેમ દશે દિશાઓને પૂરી દીધી. જાણે આ લોક અને પરલોકનું મૂર્તિમંત નિર્મળપણું હોય એવા બે ચામરો પ્રભુના બંને પાર્શ્વભાગમાં પ્રકાશી રહ્યાં અને દેવતાઓ પ્રસન્ન સ્વરે ભગવંતનો જયજયકાર કરવા લાગ્યા.
શિબિકામાં આરૂઢ થઈને માર્ગમાં ચાલતા ઋષભદેવ ઉત્તમ દેવોના વિમાનમાં રહેલી શાશ્વત પ્રતિમા જેવા શોભતા હતા.
માનવો, દેવતાઓ ઋષભદેવને નિહાળવા માટે ઊમટી પડ્યા હતા. ઋષભદેવની બન્ને બાજુ ભરત અને બાહુબલી સેવા કરતા હતા અને અઠ્ઠાણું વિનીત પુત્રો પ્રભુની પાછળ ચાલતા
હતા.
માતા મરુદેવા, પત્ની સુમંગલા, પુત્રી બ્રાહ્મી અને સુંદરી સહિત અન્ય સ્ત્રીઓ પ્રભુની પછવાડે ચાલતી હતી.
એ રીતે પૂર્વજન્મવાળું સવથસિદ્ધ વિમાન હોય તેવા સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં ઋષભદેવ સ્વામી પધાર્યા. ત્યાં મમતા રહિત ધનુષ્યની જેમ સંસારથી ઊતરે તેમ નાભિકુમાર શિબિકારત્નમાંથી અશોકવૃક્ષ નીચે ઊતયાં.
ઋષભદેવે કાયા પરનાં તમામ આભૂષણો ઉતારી નાખ્યાં. તે વખતે ઈન્દ્ર પાસે આવીને જાણે ચંદ્રના કિરણોથી જ વણેલું હોય તેવું ઉજ્વળ અને ઝણું દેવદુષ્ય વસ્ત્ર પ્રભુના અંધ ઉપર આરોપણ કર્યું.
આજ ચૈત્રમાસના કૃષ્ણપક્ષની અષ્ટમીનો દિવસ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org