SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભદેવ સ્વામી મુખ પર વિષાદની ઘેરી છાયા છવાઈ ગઈ છે. સહુના અંતરમાં એક જ પ્રશ્ન ધોળાતો હતો : અરે જે સુખ, સંપત્તિ અને સાહ્યબીને પામવા સંસાર મરી પડે છે એનો ત્યાગ કરીને ઋષભદેવ એવું તે શું નવું પ્રાપ્ત કરવા ઇચ્છે છે...? માતા મરુદેવા પણ આમ્રવનમાં આવ્યાં હતાં. એમની આંખોમાંથી અશ્રુઓનો ઘોઘ વહેવા માંડ્યો. માતા મરુદેવા પુત્રને રોકવા વિનવણી કરવા લાગ્યાં. અશ્રુભર્યા નયને માતા મરુદેવા બોલ્યાં : વત્સ, આ રીતે તું મારો ત્યાગ કરીને જવાનું માંડી વાળ. તારાં દર્શનમાત્રથી મને પરમસુખ ઊપજે છે. તારા વિના આ સુખ શું કામનું ...?’ ૧૩ ઋષભદેવે સમભાવ કેળવીને કહ્યું : “માતાજી, સહુએ જવાનું છે. જનારાને કોઈ રોકી શકતું નથી. પ્રત્યેક અંધકારની પાછળ પ્રકાશનું તેજ છુપાયેલું છે. એ રીતે દરેક દુઃખની પાછળ સુખ અવશ્ય છે. માતા, દુઃખને પચાવો અને એની પાછળના સુખને શોધવા માટેનો પ્રયત્ન કરો.’ માતા મરુદેવા પુત્રને ઉત્તર ન આપી શક્યાં. પણ પુત્રને મહાપ્રયાણના માર્ગે જતો જોઈને ભારે વેદના અનુભવી રહ્યાં. ઋષભદેવે ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી વગેરે સૌને યોગ્ય વચનો જણાવીને સંતોષ આપ્યો. હવે મહાપ્રયાણના પંથે જવાનો સમય થઈ ચૂકયો હતો. પોતાનું આસન ચિલત થવાથી ઈન્દ્ર ભક્તિપૂર્વક ઋષભદેવ પાસે આવ્યા. જળના કુંભ હસ્તમાં રાખનારા બીજા ઇન્દ્રોની સાથે રાજ્યાભિષેકની જેમ એણે ઋષભદેવનો દીક્ષા ઉત્સવ સંબંધી અભિષેક કર્યો. ઇન્દ્ર ઋષભદેવ માટે સુદર્શન નામની એક શિબિકા તૈયારી કરી. ઋષભદેવ શિબિકા પર આરૂઢ ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy