________________
૧૨
ચોવીશ તીર્થકર
દેવતાઓએ ઘણા કાળથી ભ્રષ્ટ થયેલું, નધણિયાતું, મર્યાદાને ઉલ્લંઘન કરનારું, ગિરિ અને કુંજમાં રહેલું, સ્મશાન વગેરે
સ્થાનોમાં ગૂઢ રહેલું, ઘરમાં ગુપ્ત કરેલું રોપ્ય, સુવર્ણ અને રત્નાદિક દ્રવ્ય સર્વ જગ્યાએથી લાવીને વરસાદ જેમ પાણીને પૂરે તેમ પૂરવા લાગ્યા.
ઋષભદેવ હંમેશાં સૂર્યનો ઉદય થાય ત્યારથી તે ભોજનનો સમય થાય ત્યાં સુધીમાં એક કોટિ અને આઠ લાખ સુવર્ણમુદ્રાઓનું દાન આપતા હતા.
આ પ્રમાણે 2ષભદેવ સ્વામીએ એક વર્ષમાં ત્રણસો અક્યાસી કરોડ એંશી લાખ સુવર્ણનું દાન કર્યું. ચૈત્ર માસ શરૂ થયો.
અને ચૈત્ર વદ આઠમના દિવસે જ્યારે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં દિવસના પાછલા ભાગમાં આવ્યો ત્યારે ઋષભદેવ સર્વસ્વનો ત્યાગ કરીને મહાપ્રયાણના પંથે પગલાં માંડવા અગ્રેસર થયા.
વાતાવરણમાં ગંભીરતા આપોઆપ છવાઈ ગઈ હતી. ઋષભદેવે પોતાની સુદીર્ઘ કેશવાળી પીઠ પર છૂટી મૂકી દીધી હતી.
ઋષભદેવે પગમાંથી ઉપાનહ અને મસ્તક પરથી મુગટ ઉતારીને એક તરફ મૂકયો.
દક્ષિણાયનમાંથી મંદમંદ સમીર વાતો હતો. કોકિલના. મધુર ટહુકાથી વાતવરણ પ્રસન્ન બન્યું હતું.
થોડી વારમાં તો ઋષભદેવ મહાપ્રયાણની દિશામાં પગલાં માંડી રહ્યાં છે. તે વાત વાયુવેગે સર્વત્ર પ્રસરી ગઈ.
માનવગણનો મેળો આમ્રવનમાં ભરાયો. ઋષભદેવ નિર્મોહી બનીને ઊભા છે. માનવગણની આંખમાં આંસુની ધારા વહી રહી છે. સૌના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org