________________
શ્રી ઋષભદેવ સ્વામી
ૠષભદેવે બ્રાહ્મીપુત્રીને બોલાવીને તેને પણ જમણે હાથે અઢાર લિપિ શિખવી.
૧૧
બ્રાહ્મીને પિતા પાસેથી જે અઢાર લિપિ શિખવા મળી તે આ પ્રમાણે હતી. (૧) હંસ (૨) ભૂત (૩) યક્ષ (૪) રાક્ષસ (૫) ઉડડુ (૬) યાવની (૭) તુરકી (૮) કીરિ (૯) દ્રાવડી (૧૦) સૈંઘવી (૧૧) માળવી (૧૨) નડી (૧૩) નાગરી (૧૪) લાટી (૧૫) પારસી (૧૬) અનિમિત્ત (૧૭) ચાણાકી અને (૧૮) મૂળદેવી લિપિ તથા ડાબા હાથે શાસ્ત્ર ગણિતાદિ સુંદરીને શીખવ્યા.
આ ઉપરાંત યુદ્ધને ઉપયોગી થાય તેવું શસ્ત્રાશસ્ત્રનું જ્ઞાન ઋષભદેવે ભરતને આપ્યું તેમજ હસ્તિ-અશ્વના લક્ષણો જાણવાનું જ્ઞાન બાહુબલીને આપ્યું.
ૠષભદેવ ભગવંતે તેસઠ લાખ પૂર્વ સુધી નિષ્કંટક રાજ્ય
ભોગવ્યું. એક દિવસ વસંતૠતુમાં સારસ્વાદિ દેવતાઓએ આવીને ૠષભદેવ પ્રભુ પાસે આવીને વિનંતી કરી : ‘આપ ધર્મતીર્થ પ્રવર્તાવો.’
આથી ઋષભદેવ પ્રભુએ અવધિજ્ઞાન વડે સંયમ લેવાનો અવસર જાણીને ભરતને અયોધ્યાનું રાજ્ય, બાહુબલીને બહુલી દેશનું રાજ્ય અને બીજા પુત્રોને યથાયોગ્ય ગામ-નગર આપ્યાં. નાભિરાજા અને સુનંદાએ દેહત્યાગ કરી દીધો હતો. ઋષભદેવના અંતરમાં સંયમ ગ્રહણ કરવાના ભાવ રમી રહ્યા હોવાથી માતા મરુદેવા, પ્રિયા સુમંગલા, ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી સહિત દરેકની રજા મેળવી લીધી હતી અને દાનશાળા ખોલી હતી.
ૠષભદેવ પ્રભુ જેને જે જોઈતું હોય તે આપીને સૌ કોઈની ઇચ્છા સંતોષતા હતા.
આ વખતે ઇન્દ્રના આદેશથી કુબેરે પ્રેરેલા જાંભક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org