________________
શ્રી મહાવીર સ્વામી
નહોતા. હાલે ચાલે ત્યારે જ દૃષ્ટિમાં પડતા હતા. તે જોઈને હવે સંયમ પાળવું મુશ્કેલ છે એમ વિચારીને ઘણા સાધુ અને સાધ્વીઓએ અનશન ધારણ કર્યું.
પ્રભુનું નિર્વાણ થયાનું જાણીને તે સમયે ભાવ દીપકનો ઉચ્છેદ થવાથી સર્વ રાજાઓએ દ્રવ્ય દીપક કર્યાં. ત્યારથી લોકોમાં દીપોત્સવીનું પર્વ પ્રવર્યું એટલે કે તે રાતે લોકો પોતાના આંગણે દીવા કરે છે.
ઇન્દ્રાદિ પરિવારે શ્રી વીર ભગવંતનો અંગ સંસ્કાર ભવ્ય રીતે કર્યો. દેવતાઓએ ત્યાં એક રત્નમય સ્તૂપ રચ્યો. શ્રી વીર પ્રભુનો નિર્વાણ મહિમા કરીને સર્વે ઇન્દ્રો તથા દેવતાઓ નંદીશ્વર દ્વીપે ગયા, ત્યાં શાશ્વત પ્રતિમાઓનો અષ્ટાલિક ઉત્સવ કર્યો.
૨૭૦૯
શ્રી મહાવીર સ્વામીએ ગૃહસ્થપણામાં ત્રીસ વર્ષ અને વ્રતમાં બેંતાલીશ વર્ષ એમ બોંતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી અઢીસો વર્ષ વ્યતીત થયે શ્રી વીરપ્રભુનું નિર્વાણ થયું.
શ્રી ગૌતમ ગણધરે દેવશમાં બ્રાહ્મણને પ્રતિબોધ પમાડીને પાછા ફર્યા ત્યારે દેવતાઓ દ્વારા જાણવા મળ્યું કે પ્રભુ નિર્વાણ પામ્યા છે. ગૌતમ સ્વામીના હૈયામાં વિચારોની શૃંખલા ચાલી અને મોહ, મમત્વનું બંધન તૂટ્યું. તેમને કેવળજ્ઞાન થયું. પછી બાર વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કરીને ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ આપતા રહ્યા. ગૌતમ સ્વામી એકવાર પ્રાતઃકાળે રાજગૃહી નગરે આવ્યા ત્યાં એક માસનું અનશન કરીને અક્ષય સુખવાળા મોક્ષપદને પ્રાપ્ત થયા.
(શ્રી મહાવીર સ્વામીના સંક્ષિપ્ત જીવન આલેખનમાં અનેક પાત્રોનો ઉલ્લેખ માત્ર ક૨વામાં આવ્યો છે. ધન્ના શાલિભદ્ર, અભય કુમાર. જંબુકુમાર મહાશતક વગેરે પર મારી કથાઓ પ્રગટ થઈ ચૂકી છે. તેમજ ચંદનાના જીવન અંગે મારા પિતાશ્રીએ ‘બંધન તૂટ્યાં’ ત્રણ ભાગમાં લખી છે. વાચકોની જાણ માટે - લેખક)
★★
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org