________________
શ્રી મહાવીર સ્વામી
નજીકમાં થવાનું છે તેમ જણાવીને તે સ્વસ્થાને ગયો.
વિશાલાનગરીમાં જિનદત્ત નામનો એક પરમ શ્રાવક રહેતો હતો. વૈભવના ક્ષયથી લોકો એને જીર્ણશ્રેષ્ઠી'ના નામથી ઓળખતા હતા. જિનદત્ત શ્રેષ્ઠીએ બળદેવના મંદિરમાં પ્રભુને પ્રતિમાએ રહેલા જોયા. પ્રભુને ચોવીશમા તીર્થંકર જાણીને ભાવભરી વંદના કરી. પારણાની વિનંતી કરીને ઘેર આવ્યા. બીજે દિવસે પ્રતીક્ષા કરી કરીને જિનદત્ત પ્રભુ પાસે વિનંતી કરવા ગયા. પ્રભુ મારે ત્યાં પારણું કરશે એ આશાએ ચાર મહિના સુધી રોજ આવીને પ્રભુની સેવાભક્તિપૂર્વક વિનંતી કરીને જતા હતા. છેલ્લે દિવસે બધી તૈયારી કરી, પ્રભુના આવવાની રાહ જોતા જિનદત્ત શ્રેષ્ઠી દરવાજા પાસે ઊભા હતા. તેવામાં પ્રભુ નવીન શેઠના ઘેર પધાર્યા. શેઠે દાસીને આજ્ઞા કરવાથી અડદના બાકુળા વહોરાવ્યા. ત્યાં વસુધારા વગેરે પંચદિવ્ય પ્રગટ થયા. આ સમય જિનદત્ત શ્રેષ્ઠી તો પ્રભુના આગમન સંબંધી વિચાર કરતા તેમજ ઊભો હતો તેવામાં દેવતાઓનાં દદુભિનો ધ્વનિ સાંભળીને જિનદત્ત વિચારવા લાગ્યો કે “અહો...મારા જેવા મંદભાગ્યવાળાને ધિક્કાર છે. મારો મનોરથ વૃથા થયા...'
ત્યાં પારણું કર્યા પછી પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો. તે ઉદ્યાનમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતના એક કેવળી શિષ્ય પધાર્યા. એટલે રાજાએ તથા લોકોએ તેમની પાસે આવીને પૂછ્યું.' ભગવન, આ નગરીમાં મોટા પુણ્યના સમૂહને ઉપાર્જન કરનાર કોણ છે ?*
કેવળી ભગવંતે કહ્યું : “જિનદત્ત શ્રેષ્ઠી અધિક પુણ્યવાન છે.' લોકોએ કહ્યું : “પ્રભુને પારણું તો નવીન શ્રેષ્ઠીએ કરાવ્યું હતું અને પંચદિવ્ય પણ ત્યાં પ્રગટ થયા છે. તો તે મહાપુણ્યવાન કેમ નહિ ?* ત્યારે કેવળીએ કહ્યું : જિનદત્તશ્રેષ્ઠીએ ભાવથી પારણું કરાવ્યું છે. તેવા ભાવથી તે મૃત્યુ પામીને અચ્યુત દેવલોકે ઉત્પન્ન થયા છે. જો દુંદુભિનો નાદ સાંભળ્યો ન હોત તો કેવળજ્ઞાન પામી આજ ભવે મોક્ષના અધિકારી બનત. નવીન શ્રેષ્ઠીએ દ્રવ્યથી પારણું કરાવ્યું તેનું ફળ ફક્ત પંચદિવ્ય પ્રગટ થયા તેટલું જ છે.’
Jain Education International
For Private & Personal Use Only
૨૬૫
www.jainelibrary.org