________________
૨૬૬
ચોવીશ તીર્થંકર
જુદી જુદી જગ્યાએ વિહાર કરતાં શ્રી મહાવીર સ્વામી એકવાર સુસુમારપુરના અશોકખંડ ઉદ્યાનમાં અશોક વૃક્ષ નીચે અઠ્ઠમ તપ કરીને એક રાત્રીની પ્રતિમા ધારણ કરી. ત્યારે ત્યાં ચમરેન્દ્ર આવ્યો. ત્રણ પ્રદક્ષિણા કરીને નમન કરતાં બોલ્યો : “પ્રભુ, હું આપના પ્રભાવથી મારા મસ્તક ઉપર રહેલા શક્રઇન્દ્રને જીતી લઈશ' આમ કહીને તે સૌધર્મ સભામાં આવ્યો. અમરેન્દ્ર શક્રઇન્દ્ર પર વિજય મેળવવા પ્રયત્ન કર્યો પણ અંતે શક્રઈન્દ્રના પ્રભાવથી એને પીછેહઠ કરવી પડી અને પ્રભુના શરણમાં આવ્યો.
શ્રી મહાવીર સ્વામી અનુક્રમે વિહાર કરતા ભોગપુર નામના નગરમાં આવ્યા ત્યાં માહેન્દ્ર નામનો ક્ષત્રિય પ્રભુને જોઈને એક ખજૂરીની યષ્ટિ લઈને પ્રહાર કરવા દોડ્યો તે વખતે આવેલા સનકુમારેઝે તેને અટકાવ્યો. ત્યાંથી પ્રભુ નંદીગ્રામ થઈને મેઢક ગામે આવ્યા. ત્યાં એક ગોવાળ વાળની દોરી લઈ પ્રભુને મારવા દોડ્યો. ઇન્દ્ર આવીને ગોપને વાર્યો. ત્યાંથી શ્રી વીર ભગવંત કૌશાંબી નગરે આવ્યા.
પોષ વદી એકમના દિવસે શ્રી મહાવીર સ્વામીએ અભિગ્રહ કર્યો કે કોઈ સુંદર, સુશીલ રાજકુમારી દાસીપણાને પામેલી હોય, પગમાં બેડી અને માથું મુંડેલ, ભૂખી, રૂદન કરતી. એક ઉમરા પર અને બીજો પગ બહાર રાખી બેઠી હોય. સર્વ ભિક્ષુકો તેના ઘેર આવીને ગયા હોય તેવી સ્ત્રી સૂપડાને એક ખૂણે રાખીને અડદના બાકુળા જે મને વહોરાવે તો પારણું કરીશ. આ અભિગ્રહ ધારણ કરીને શ્રી મહાવીર સ્વામી નિત્ય ગોચરી અર્થે ભ્રમણ કરતા હતા. ચાર માસ સુધી તેમને ભિક્ષા મળી નહિ.
એક વખત પ્રભુ સુગુપ્ત મંત્રીને ઘેર ભિક્ષા માટે ગયા. ત્યાં તેની સ્ત્રી નંદાએ પ્રભુને દૂરથી આવતા જોયા. નંદા આનંદ પામી. નંદાએ પ્રભુને કહ્યું તેવા ભોજન પદાથ ધર્યા પરંતુ પ્રભુ અભિગ્રહને વશ થઈને તેમાંથી કંઈ પણ લીધા વગર ચાલ્યા ગયા. નંદાને થયું કે પ્રભુ પ્રાસુક અન્ન લેતા નથી. હવે પ્રભુનો અભિગ્રહ જાણી લેવો જોઈએ. નંદા શોકાતુર બનીને બેસી રહી. ત્યાં મંત્રી સુગુપ્ત આવ્યો અને કહ્યું : “મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org