________________
૨૪
ચોવીશ તીર્થકર
ઇન્દ્ર આજ્ઞા આપી. સંગમની સ્ત્રીઓ પતિની પાછળ ગઈ.
આ તરફ શ્રી વીપ્રભુ બીજે દિવસે ગોકુળ ગામમાં ગોચરી માટે નીકળ્યા. ત્યાં વૃદ્ધ વત્સપાલિકાએ ભક્તિભાવથી ગોચરી વહોરાવી. ચિરકાળે પ્રભુનું પારણું થવાથી હાઈ પામી સમીપ રહેલા દેવતાઓએ ત્યાં પંચદિવ્ય પ્રગટ કર્યા
શ્રી વીર પ્રભુ આલંભિકા નગરીમાં આવ્યા. ત્યાં હરિનામના વિઘુકુમારના ઈન્દ્ર પ્રભુ પાસે આવી પ્રદક્ષિણા કરીને નમન કર્યા પછી કહ્યું : “હે સ્વામી, આપે જે ઉપસર્ગો સહન કર્યા તે સાંભળવાથી પણ અમારા જેવાનાં લ્કય વિદિણ થઈ જાય છે. હવે માત્ર થોડા ઉપસર્ગ સહ્યા પછી આપ ચાર ઘાતિકનો નાશ કરશો અને થોડા જ કાળમાં કેવળજ્ઞાન ઉપાર્જન કરશો.' આટલું કહીને હરિસહ નામના વિદ્યુકુમારે ઈન્દ્ર પ્રભુને નમન કરીને પોતાના સ્થાનકે ગયો.
ત્યાંથી વિહાર કરીને શ્રી વીર પ્રભુ શ્રાવસ્તી નગરીમાં પધાર્યા ત્યાં પ્રતિમા ધરીને રહ્યાં. નગરજનો પ્રભુને છોડીને કાર્તિક સ્વામીની પ્રતિમાને સ્નાન, અર્ચન તથા પૂજા કરવા માટે જવા લાગ્યા. ઈન્દ્ર ઉપયોગ મૂકી લોકોને પ્રભુનું ઉલ્લંઘન કરીને કાર્તિકની પૂજા કરતાં જોઈને, ત્યાં આવીને કાર્તિકની પ્રતિમામાં પ્રવેશ કરી જ્યાં પ્રભુ હતા ત્યાં પ્રતિમા પોતાની મેળે ચાલવા લાગી. પ્રભુને પ્રદક્ષિણા આપી પ્રણામ કર્યા. તે જોઈને લોકોને થયું કે આ પ્રભુ આપણા ઇષ્ટદેવના પણ પૂજ્ય છે એ જાણીને પ્રભુનો મહિમા કરવા લાગ્યા.
શ્રી વીરપ્રભુ ત્યાંથી વિહાર કરીને કૌશાંબી નગરીએ આવ્યા. પ્રતિમા ધરી રહેલા પ્રભુને સૂર્યચંદ્ર મૂળ વિમાન સાથે આવી સુખશાતા પૂછીને વંદના કરી.
ત્યાંથી વારાણસી થઈને પ્રભુ મિથિલાનગરીમાં આવ્યા. ત્યાં જનક રાજા અને ધરણેન્દ્ર આવીને પૂજા કરી. વિશાલા નગરીમાં પ્રભુએ અગિયારમું ચોમાસું કર્યું ત્યાં સમર નામના ઉદ્યાનમાં બળદેવના મંદિરમાં પ્રભુ ચોમાસી તપ કરી પ્રતિમાએ રહ્યા હતા. ત્યાં ભૂતાનંદ નામના નાગકુમારના ઇન્દ્ર આવીને પ્રભુને વંદના કરી. પ્રભુને કેવળજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org