________________
શ્રી મહાવીર સ્વામી
૨૬૩
ધોતી હતી. બહુલા દાસીએ પ્રભુને પૂછ્યું આ કહ્યું છે ? એટલે પ્રભુએ હાથ પસાર્યો. બહુલાએ ભક્તિથી વહોવરાવ્યું. દેવોએ ત્યાં પાંચ દિવ્ય પ્રગટ કર્યો. ત્યાંથી વિહાર કરીને મલેચ્છોની દઢભૂમિ પર આવ્યા. પેઢાળ ગ્રામની નજીક પોલાસ ચૈત્યમાં અઠ્ઠમ કરી રૂક્ષ દ્રવ્ય પર દષ્ટિ રાખી એક રાત્રી મહા પ્રતિમા થઈને રહ્યા. તે સમયે શકેંદ્ર ઉપયોગ મૂકીને જોતાં પ્રભુને ધ્યાનસ્થ જોઈને સભામાં કહ્યું : “અત્યારે વીર પ્રભુને ધ્યાનમાંથી કોઈ વિચલિત કરી શકે તેમ નથી. આ વાત સાંભળીને સંગમ નામનો અભવ્ય સામાનિક દેવતાએ કહ્યું કે દેવોની આગળ મનુષ્ય કોણ માત્ર છે ? હું ત્યાં જઈને એમને ચલિત કરીશ...' આમ કહીને સંગમ હાથ પછાડતો ઊભો થયો. તે વખતે અહત પ્રભુ પારકી સહાયથી અખંડિત તપ કરે છે તેવું રખે આ દુબુદ્ધિ જાણે નહીં.” એવું ધારીને શક્રઈન્ડે તેની ઉપેક્ષા કરી.
સંગમ પાપી દેવ જ્યાં શ્રી વીરપ્રભુ હતા ત્યાં આવ્યો. તેણે આવીને એક રાતમાં વીશ મોટા ઉપસર્ગો કર્યા પણ પ્રભુ ચળ્યા નહિ. તેથી પ્રતિજ્ઞાભ્રષ્ટ થઈ હું પાછો કેમ જાઉં. એમ વિચારીને પાપી દેવ સંગમ છ માસ સુધી પ્રભુ જ્યાં જાય ત્યાં ઉપસર્ગ કરતો રહ્યો. છેવટે તે થાકી ગયો અને અપરાધ ખમાવીને આપ સુખે વિહાર કરો એમ સંગમ દેવ બોલ્યો.
ત્યારે શ્રી વિરપ્રભુએ સંગમદેવને કહ્યું : “સંગમદેવ, તું અમારી ચિંતા ન કર. અમે સ્વેચ્છાએ વિહાર કરીએ છીએ.'
પછી સંગમદેવ પશ્ચાત્તાપ કરતો સુધમસભામાં આવ્યો ઇન્દ્ર સભામાં જણાવ્યું. આ સંગમ મહાપાપી છે. તેને જોવામાં પણ પાપ છે. તે અહીં રહેશે તો પણ પાપ લાગશે. તેથી દુષ્ટને આ દેવલોકમાંથી કાઢી. મૂક્યો યોગ્ય છે.'
આ પ્રમાણે કહીને ઈન્દ્ર તે અધમ દેવ પર ડાબા પગનો પ્રહાર કર્યો. સુભટ્ટોએ ધક્કા માર્યા. તિરસ્કાર પામતો તે અધમદેવ યાનક વિમાનમાં બેસીને બાકી રહેલું એક સાગરોપમનું આયુષ્ય ભોગવવા માટે મેરુગિરિની ગુલિકા ઉપર ગયો. તેની સ્ત્રીઓએ વિજ્ઞપ્તિ કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org