________________
૨૬૨
ચોવીશ તીર્થંકર
તિલના બરાબર સાત દાણા ઊગેલા જોયા. તે જોઈને ગોશાળે કહ્યું કે, “શરીરનું પરાવર્તન કરીને પાછા જતુઓ ત્યાં ને ત્યાં જ ઉત્પન્ન થાય છે.'
આ તરફ તેજલેશ્યા સાધવા માટે ગોશાળ પ્રભુને છોડીને શ્રાવતી નગરીમાં ગયો. ત્યાં એણે તેજલેશ્યા સિદ્ધ કરી તેમજ પાર્શ્વનાથ પ્રભુના છ શિષ્યો કે જેઓએ ચારિત્ર છોડી દીધું હતું. અત્રંગ નિમિત્તના પંડિત હતા તેમની પાસેથી ગોશાળે અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન મેળવ્યું એટલે ગર્વ ધરતો ગોશાળ હું જિનેશ્વર છું એમ કહેતો વિહરવા લાગ્યો. શ્રી મહાવીર સ્વામી વિહાર કરતા વૈશાલી નગરીમાં પધાર્યા
ત્યાં પ્રભુના પિતાનો મિત્ર શંખ ગણરાજ મોઢ પરિવાર સાથે આવ્યો. પ્રભુની ભક્તિથી પૂજા કરી. ત્યાંથી પ્રભુ વાણિજ્ય ગામ તરફ ચાલ્યા. વચ્ચે નદી પાર કરવા નાવમાં બેઠા. નાવમાંથી ઊતર્યા પછી તપેલી રેતી પર પ્રભુને ઊભા રાખીને નાવિકે મૂલ્ય માગ્યું. એ વખતે શંખરાજાનો ભાણેજ ચિત્રકુમારે પ્રભુને જોયા. નાવિકનો તિરસ્કાર કરીને ભગવંતને છોડાવ્યા. પ્રભુની ભક્તિ કરીને ચિત્ર પોતાના સ્થાને ગયો. પછી ભગવંત વાણિજ્ય ગામ બહાર પ્રતિમા ધરીને ઊભા રહ્યા. ત્યાં આણંદ નામનો શ્રાવક સદા છઠ્ઠ તપ કરતો હતો. તેને અવધિ જ્ઞાન થવાથી પ્રભુને વાંદવા આવ્યો.
આણંદ શ્રાવકે ભાવભરી વંદના કરીને કહ્યું હે ભગવંત, આપે દુરસહ પરીષહો અને દારુણ ઉપસર્ગો સહન કર્યા છે. આપણું શરીર અને મન બને તજ જેવાં છે કે જે આવા પરીષહો અને ઉપસર્ગોથી ભગ્ન થતાં નથી. પ્રભુ, હવે આપને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પણ નજીક છે.” આટલું કહી નમન કરીને આણંદ શ્રાવક પોતાના ઘેર ગયો. પછી કાયોત્સર્ગ કરીને પ્રભુ શ્રાવતી નગરીએ પધાયાં. ત્યાં દશમું ચાતુમતિ પસાર કર્યો.
ત્યાંથી શ્રી મહાવીર સ્વામી સાનુયષ્ટિક ગામે આવ્યા. ત્યાં પ્રભુએ એક પુદ્ગલ ઉપર દષ્ટિ સ્થિર કરીને ભદ્રા. મહાભદ્રા, સર્વતોભદ્રા પ્રતિમા અંગીકાર કરી સોળ દિવસના ઉપવાસના પારણે આનંદ ગૃહસ્થને ઘેર ગયા. ત્યાં બહુલા દાસી ટા અન કાઢી પાત્રો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org