________________
- ૨૫૮
ચોવીશ તીર્થકર
ત્યાંથી વિહાર કરીને અનુક્રમે કદલી સમાગમ આવ્યા. ત્યાંથી ભૂખંડ નામના ગામે આવ્યા. ત્યાંથી તેબાક નામના ગામ નજીક આવ્યા. પ્રભુ બહાર પ્રતિમા ધરીને ઊભા રહ્યા. ગોશાળ ગામમાં ગયો ત્યાં અનેક શિષ્યોથી પરિવરેલ પાર્શ્વનાથ પ્રભુના શિષ્ય વૃદ્ધ નંદીષેણાચાર્ય આવ્યા હતા. તેઓ જિનકલ્પની તુલના કરતા હતા. તેમને જોઈ ગોશાળે પ્રથમની જેમ હાસ્ય કરીને પ્રભુ પાસે આવ્યો. તે મહર્ષિ નંદીષેણ રાતના કાઉસગ્નધ્યાને સ્થિર હતા ત્યારે ગ્રામરક્ષકોએ ચોરની ભ્રાન્તિથી મારી નાખ્યા. તેઓ અવધિજ્ઞાનથી મૃત્યુ પામી દેવલોકે ગયા. દેવોએ મહિમા કર્યો. ગોશાળે ત્યાં આવી તેમના શિષ્યોનો પ્રથમની જેમ તિરસ્કાર કર્યો.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ કુપિકા ગામે આવ્યા. ચોરની ભ્રાન્તિથી ગોશાળ અને પ્રભુને ત્યાંના રક્ષકો હેરાન કરવા લાગ્યા. તે જાણી પાર્શ્વનાથની બે શિષ્યાઓ પ્રગર્ભા તથા વિજયા ચારિત્ર છોડીને પરિવ્રાજિકા થઈને તે ગામમાં રહેતી હતી. તેઓએ આવીને પ્રભુને છોડાવ્યા. લોકોએ પ્રભુ જાણીને ખમાવ્યા. ત્યાંથી પ્રભુ વિશાલાપુરી તરફ ચાલ્યા. આગળ જતાં બે માર્ગ આવ્યા. એટલે ગોશાળે કહ્યું હું તમારી સાથે નહિ આવું. મને લોકો મારે છે. પણ તમે છોડાવતા નથી.
સિદ્ધાર્થે કહ્યું: ‘તને જેમ રૂચે તેમ કર.' તેથી ગોશાળ રાજગૃહ તરફ અને પ્રભુ વિશાલા તરફ ચાલ્યા.
ગોશાળ એકલો રાજગૃહ તરફ ચાલવા લાગ્યો. ત્યાં માર્ગમાં પાંચસો ચોરોએ ચરપુરુષ સમજીને ભારે પરેશાન કર્યો. આથી ગોશાળે વિચાર્યું કે મારે પ્રભુ પાસે જ રહેવું જોઈએ. તેમના ચરણે રહેવાથી મારી પણ વિપત્તિઓ નષ્ટ થાય છે. આમ વિચારીને તે પ્રભુને શોધવા આમતેમ ઘુમવા લાગ્યો.
શ્રી મહાવીર પ્રભુ વિશાલા નગરીમાં આવ્યા. ત્યાં લોહકારની શાળામાં લોકોની આજ્ઞા લઈને પ્રભુ પ્રતિમા ધારણ કરીને રહ્યાં. તે શાળાનો સ્વામી લુહાર છ માસથી રોગથી પીડાતો હતો તે તરત જ નિરોગી થઈ ગયો. ત્યાં એણે પ્રભુને જોઈને મનમાં વિચાર્યું કે પહેલે જ દિવસે મને આ પાખંડીના દર્શન થયા તે મોટું અપશુકન થયું છે માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org