________________
શ્રી મહાવીર સ્વામી
સ્થળ પર શ્રાવસ્તી નગરીએ જતો કોઈ મોટો સાર્થ રોકાયો. રાત્રીકાળે ત્યાં અગ્નિ પેટાવ્યો. પ્રાતઃકાળે સાર્થ ચાલતો થયો. પણ પ્રમાદથી અગ્નિ બુઝાવ્યો નહિ. આથી અગ્નિ સમીરના સુસવાટે પ્રસરવા લાગ્યો. અને મહાવીર પ્રભુની પાસે આવ્યો. તે વખતે ગોશાળે કહ્યું : ભગવન, આ અગ્નિ નજદિક આવ્યો. છે. માટે જલ્દી અહીંથી નાશી જાઓ.' આટલું કહીને ગોશાળ અન્યત્ર નાશી ગયો. પ્રભુએ ગોશાળના શબ્દો સાંભળ્યા હતા પણ કર્મરૂપ ઈંધણને બાળવા માટે ધ્યાનરૂપ અગ્નિથી જેમ તે અગ્નિનને પણ માનતા ત્યાં સ્થિર થઈને ઊભાં રહ્યાં. તે અગ્નિથી પ્રભુના ચરણ શ્યામ થઈ ગયા. અગ્નિ શાંત થયા પછી પ્રભુ ગોશાળ સાથે અનુક્રમે લાંગલ, આવર્ત ચોરાક, કલંબુક ગામોમાં વિહાર કર્યો. કર્લબુકમાં મહાવીર પ્રભુ તથા ગૌશાળને ચોર સમજીને પકડ્યા પરંતુ સિદ્ધાર્થ રાજાના સેવક મેઘકુમારે પ્રભુને ઓળખી લીધા અને બન્નેને મુક્ત કરાવ્યા. ક્ષમા માગી.
શ્રી મહાવીર પ્રભુએ અવધિજ્ઞાનથી જાણ્યું કે હજુ મારે ઘણા કર્મની નિર્જરા કરવાની છે તે કર્મ સહાય વિના મારાથી તરત ખપાવાય તેમ નથી માટે હવે હું અનાર્ય દેશમાં વિહાર કરું. આમ વિચારીને પ્રભુ લાટદેશમાં ગયા. આ વિસ્તારમાં અજ્ઞાની અને ક્રૂર સ્વભાવી મનુષ્યો રહેતા હતા. ત્યાં પ્રભુને જોઈને કોઈ મુંડો મુંડો' કહીને મારવા લાગ્યા. કોઈએ કૌતુકી ભસતા શ્વાનોને મૂકવા લાગ્યા. લોકો અનેક પ્રકા૨ની વિડંબનાઓ કરવા લાગ્યા. પ્રભુ આવા ઉપસર્ગોથી કર્મ ખમતાં જાણીને અતિહર્ષ પામતા હતા. ગૌશાળે પણ ત્યાં બંધન અને તાડન વગેરેની અનેક વેદનાઓ સહન કરી. પ્રભુએ ત્યાં કર્મની ઘણી નિર્જા કરીને કૃતાર્થ થતાં આર્યદેશ તરફ ચાલ્યા. પૂર્ણકળશ ગામની નજીક આવતા બે ચોરીએ પ્રભુને સામા આવતા જોઈને અપશુકન થયું માનીને ખડ્ગ ઉગામીને પ્રભુને મારવા દોડ્યા. ત્યાં ઈન્દ્રે ઉપયોગ મૂકીને હણવા
આવેલા ચોરોને વજ્રપ્રહારથી મારી નાખ્યા.
૨૫૭
ત્યાંથી શ્રી મહાવીર પ્રભુ વિહાર કરીને ભદ્રિલપુર ત્યાં ચારમાસના ઉપવાસ કરીને પાંચમું ચાતુર્માસ રહ્યાં. તપનું પારણું કરીને
ચો. તી. ૧૭
Jain Education International • For Private & Personal Use Only
www.jainelibrary.org