________________
૨૫૬
ચોવીશ તીર્થંકર
વિચારીને નજીકમાં રહેલ વ્યંતરોએ તેનું ઘર બાળી નાખ્યું.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ચંપાનગરીએ પધાયાં ત્યાં ત્રીજુ અને ચોથું માસક્ષપણ કર્યું. ત્યાંથી ગોશાળ સાથે પ્રભુ કલ્લાક નામના ગામે આવ્યા. ત્યાંથી પત્રકાળ નામના ગામે આવ્યા. ત્યાંથી વિહાર કરીને ચોરાક ગામે આવ્યા. ત્યાં એક સ્થાને ગોશાળ અને પ્રભુને કાયોત્સર્ગમાં રહ્યા હતા ત્યારે ચોરને શોધનારા રક્ષકો ત્યાં જઈ પહોંચ્યા.
રક્ષકોએ ગોશાળ અને પ્રભુને પૂછ્યું: ‘તમે કોણ છો ?” પરંતુ મૌન અભિગ્રહવાળા પ્રભુ કંઈ પણ બોલ્યા નહિ.
આથી કૂર બુદ્ધિવાળા રક્ષકો ક્રોધિત થયા અને ગોશાળ તથા પ્રભુને રજુ વડે બાંધીને કૂવામાં નાખ્યા. વારંવાર ઘડાની જેમ ઊંચાનીચા કરવા લાગ્યા. તે અવસરે સોમા અને જયંતી નામની ઉત્પલ નિમિત્તજ્ઞની બે બહેનો કે જેઓ પાશ્વપ્રભુની શિષ્યા થઈ હતી. તેઓ બને આ ગામમાં આવી હતી. તેમણે લોકોના મુખેથી સાંભળ્યું કે અમુક સ્વરૂપવાળા બે પુરુષોને રક્ષકો કૂવામાં રાખીને ઉપર-નીચે કરીને પીડા આપે છે.
આ સાંભળીને સોમા અને જયંતીને થયું કે રખે એ ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી હોય..!” આવું કલ્પીને તેઓ તરત જ ત્યાં આવી, તો ત્યાં પ્રભુને તેવી સ્થિતિમાં જોયા. આથી બન્ને સાધ્વીઓએ રક્ષકોને કહ્યું : “અરે...' તમે લોકો જાણતા નથી આ સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાવીર પ્રભુ છે !'
સાધ્વીના શબ્દો સાંભળીને રક્ષકોએ પ્રભુ તથા ગોશાળને મૂકી દીધા અને વારંવાર ક્ષમાયાચના કરવા લાગ્યા.
શ્રી મહાવીર પ્રભુ ચોરાક ગામમાં થોડા દિવસો નિર્ગમન કરીને ચોથું ચોમાસું કરવા માટે પૃષ્ટચંપા નગરીમાં પધાર્યા. ત્યાં ચાર માસક્ષપણ કર્યા. ત્યારબાદ કૃતમંગળ નગરે ગયા. ત્યાંથી શ્રાવસ્તી નગરીએ ગયા. ગોશાળ પ્રભુની સાથે જ વિહાર કરતો હતો.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ હરિ નામના ગામે ગયા. ત્યાં ગામની બહાર રહેલા હઢુિ વૃક્ષની નીચે પ્રતિમા ધરી ઊભાં રહ્યાં. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org