________________
શ્રી મહાવીર સ્વામી
એક વાર કારતક માસની પૂર્ણિમાના દિવસે ગોશાળે મનમાં વિચાર્યું કે, “આ મુનિ મહાજ્ઞાની છે તો મારે તેમના જ્ઞાનની પરીક્ષા કરવી જોઈએ.' આમ વિચારીને ગોશાળે શ્રી મહાવીર પ્રભુને પૂછ્યું : સ્વામી, આજે પ્રત્યેક ઘરમાં વિવિધ પ્રસંગોની ઉજવણી થાય છે તો મને આજે ભિક્ષામાં શું મળશે ?
તે વખત પેલો સિદ્ધાર્થ વ્યંતર પ્રભુના શરીરમાં પ્રવેશીને બોલ્યો ઃ ભદ્ર, ખાટું થઈ ગયેલું કોદ્રક અને કૂરનું ધાન્ય તથા દક્ષિણમાં એક ખોટો સિક્કો મળશે.'
એમ જ થયું.
ગોશાળને થયું કે, “જે ભાવી હોય છે તેમ જ બને છે.’ તેણે એવા નિયતિવાદને ગ્રહણ કર્યો.
દીક્ષા લીધા પછી બીજું ચોમાસુ નાલંદા પાડામાં વીતાવીને શ્રી મહાવીર પ્રભુ કોલ્લાક ગામે આવ્યા, ત્યાં બહુલ નામના બ્રાહ્મણને ઘેર ગોચરી અર્થે ગયા. તેણે ઘી સાકર સહિત ખીર પ્રભુને વહોરાવી. એટલે દેવતાઓએ તેને ઘેર પાંચ દિવ્ય પ્રગટ કર્યાં. પ્રભુએ અહીં ચોથા માસક્ષપણનું પારણું કર્યું.
૨૫૫
ગોશાળે શ્રી મહાવીર પ્રભુ પાસે શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતી કરી. ગોશાળના વચનો સાંભળીને, તેના ભાવને જાણીને તેની ભવ્યતાને માટે પ્રભુએ તેનું વચન સ્વીકાર્યું.
પ્રભુ વિહાર કરતાં બ્રાહ્મણ ગામ આવ્યા. પ્રભુએ નંદના પાડામાં છઠ્ઠના પારણે ગોચરી અર્થે ગયા નંદે ગોચરીમાં દહીં સહિત કૂર કરંબો વહોરાવ્યો. જ્યારે ગોશાળ ઉપનંદના પાડામાં મોટા ઘેર ગયો. ઉપનંદની આજ્ઞાથી દાસીએ વાસી ચોખા આપ્યા. તે ન ગમવાથી ગોશાળે લીધા નહીં. તેથી ઉપનંદે દાસીને કહ્યું કે તેના માથા પર નાંખી દે. દાસીએ તેમ
કર્યું.
આથી ગોશાળ ક્રોધિત થઈને બોલ્યો : “જો મારા ગુરુનું તપ તેજ હોય તો આ ઉપનંદનું ઘ૨ બળીને ભસ્મ થાઓ...’
પ્રભુનું નામ લઈને આપેલો શ્રાપ નિષ્ફળ ન થવો જોઈએ એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org