________________
ચોવીશ તીર્થંકર
ગંગા નદીના તટ પર ચક્રાદિકના લાંછનવાળી પ્રભુના પગલાંની પંક્તિ જોઈને સામુદ્રિક શાસ્ત્રનો જાણકાર પુષ્પ નામનો પુરુષ વિચારવા લાગ્યો આ રસ્તે થઈ ને કોઈ ચક્રવર્તી એકલા ગયા લાગે છે. માટે હું તેમની પાસે યાચવા જાઉં' આમ વિચારતો પુષ્પ નામનો સામુદ્રિકશાસ્ત્રી પ્રભુ પાસે પહોંચ્યો. પ્રભુને જોતાં જ તેની સામુદ્રિકશાસ્ત્ર પરથી શ્રદ્ધા વિચલિત થઈ ગઈ અને તે શાસ્ત્ર નિંદા ક૨વા લાગ્યો. તે વખતે ઇન્દ્રે જ્ઞાનના બળે જોયું કે સ્થૂણાક ગામે પ્રભુ પાસે પુષ્પ સામુદ્રિક શાસ્ત્રની નિંદા કરી રહ્યો છે. આથી ઇન્દ્રે તરત જ ત્યાં આવીને પુષ્પને કહ્યું : “ભાઈ, આ પ્રભુ ચક્રવર્તીના સ્વામી છે. લોકોત્તર ચક્રવર્તી છે. તારું શાસ્ત્ર બરાબર છે.' આમ કહીને પુષ્પને ઇચ્છિત ફળ આપીને ઇન્દ્ર પોતાના સ્થાને ચાલ્યો ગયો.
૨૫૪
ત્યારપછી વિહાર કરતાં કરતાં શ્રી વીર પ્રભુ રાજગૃહી નગરીની બહાર આવેલ નાલંદા નામના સ્થળ પર આવેલ વણકર શાળામાં રજા મેળવીને ચાતુર્માસ અર્થે રહ્યા. પ્રભુએ પ્રથમ માસક્ષપણનું પારણું વિજય શ્રેષ્ઠીને ત્યાં કર્યું. એ સમયે ગોશાળ ત્યાં આવ્યો હતો એટલે વિજય શ્રેષ્ઠીને ત્યાં વસુધારાની વૃષ્ટિ થતી જોઈને ગોશાળને થયું કે આ મુનિ કોઈ સામાન્ય મુનિ નથી. કારણ કે તેને અન્ન આપનારના ઘરમાં આવી સમૃદ્ધિ થઈ ગઈ. હું તેનો શિષ્ય થાઉં.'
આમ વિચારીને ગોશાળ પ્રભુ પાસે આવ્યો અને કહ્યું : “મને આપનો શિષ્ય કરો. આજથી તમે એક જ મારું શરણ છો !...*
ગોશાળના શબ્દોનો કોઈ પણ પ્રતિભાવ દર્શાવ્યા વિના પ્રભુ મૌન ધરીને જ રહ્યા. ગોશાળ ભિક્ષા વૃત્તિથી પોતાનું પેટ ભરતો અને પ્રભુની પાસે જ રાત-દિવસ રહેતો હતો.
બીજા માસક્ષપણે પ્રભુ વહોરવા નીકળ્યા. ત્યારે આનંદ નામના ગૃહસ્થે ખાદ્ય વસ્તુથી પ્રતિલાભિત કર્યા. ત્રીજા માસક્ષપણે સુનંદ નામના ગૃહસ્થને ત્યાં પારણું થયું. આ તરફ ગોશાળ ભિક્ષા માંગી લાવીને પોતાના ઉદરનું પોષણ કરતો વીરપ્રભુના સાંનિધ્યમાં રહેતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org