________________
શ્રી મહાવીર સ્વામી
૨૫૩
માર્ગમાં ગોવાળોના પુત્રોએ કહ્યું : “ભગવંત, આ માર્ગ શ્વેતાંબી તરફ જાય છે. વચ્ચે કનકખળ તાપસીનો આશ્રમ આવે છે ત્યાં હમણાં એક દષ્ટિવિષ સર્પ રહે છે. તેની દષ્ટિ જેના પર પડે તેનું મૃત્યુ થાય છે. માટે આપ અન્ય માર્ગેથી જાઓ.”
. પરંતુ શ્રી વીર પ્રભુએ અવધિ જ્ઞાનથી તે સપને ઓળખી લીધો અને તે સપને બોધ આપવા તે રસ્તે ચાલ્યા.
ચંડ કૌશિકે વીર પ્રભુને જોયા અને કાળઝાળ થઈ ગયો. એણે વેધક દષ્ટિ ફેંકી, પ્રભુને હંસ માર્યો તો દૂધ જેવું શ્વેત લોહી નીકળ્યું. ચંડ કૌશિકે વરપ્રભુ પર ઘણા ઉપસર્ગો કર્યા પછી તે શાંત થઈ ગયો.
ત્યારે વીર પ્રભુ બોલ્યા: “અરે ચંડકૌશિક, બુઝ..! બુઝ...! મોહ પામ નહિ.' પ્રભુએ એને તેનો પૂર્વભવ જણાવ્યો. તે સપને તરત જ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને તેણે પોતાના મનમાં અનશન અંગીકાર કરવાનો નિશ્ચય કર્યો. અને પ્રભુને વંદન કરીને રાફડામાં જતો રહ્યો. ભગવંતની દયામય દૃષ્ટિથી સિંચન પામેલો તે સર્પ એક પખવાડિયા પછી મૃત્યુ પામીને સહસ્ત્ર દેવલોકમાં ગયો.
શ્રી વીરપ્રભુ ત્યાંથી વિહાર કરીને ઉત્તર વાચાળ ગામે પક્ષોપવાસને અંતે પારણા નિમિત્તે નાગસેનને ત્યાં આવ્યા. નાગસેને અતિ હર્ષથી પ્રભુને પ્રતિલાભિત કર્યા. તે વખતે વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ થયા. પારણું કરીને પ્રભુ શ્વેતાંબી આવ્યા. ત્યાં પ્રદેશી રાજાએ પ્રભુ પ્રત્યે પોતાનો ભક્તિભાવ પ્રગટ કર્યો. ત્યાંથી વીપ્રભુ સુરભિપુર થઈને ગંગા નદી પાસે આવ્યા. ત્યાં સિદ્ધાંત નામના નાવિકની નાવમાં પ્રભુ તથા અન્ય કેટલાક લોકો બેઠા. નાવમાં મૅમિલ નામનો નિમિત્તજ્ઞ હતો. તે બોલ્યો: ‘આ વખતે કુશળક્ષેમ પાર ઊતરવાના નથી. થોડા સમયમાં આપણને મરણાંત કષ્ટ પ્રાપ્ત થશે. આ મહર્ષિના પ્રતાપે બચી શકીશું.'
ત્યાં સુદષ્ટિ નાગકુમારે પ્રભુને જોયા અને પૂર્વ ભવનું વૈર યાદ આવ્યું અને પ્રભુને ઉપસર્ગ આપવા નાવને ડુબાડવા લાગ્યો પરંતુ કેબલ સંબલ દેવે આવીને તે ઉપસર્ગનું નિવારણ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org