________________
૨૫૨
ચોવીશ તીર્થંકર
આવવા લાગ્યા. એક વાર અચ્છદક પણ ગર્વિષ્ઠ બનીને ત્યાં આવ્યો. સિદ્ધાર્થ વ્યંતરે ગામ લોકોને જણાવ્યું કે અચ્છદંક મહા પાખંડી છે. અચ્છદકે પ્રભુ પાસે આવીને પૂછવા લાગ્યો. આ તૃણ છેદાશે કે નહિ. પ્રભુના શરીરમાં રહેલા સિદ્ધાર્થ વ્યંતરે કહ્યું: “નહિ છેદાય...'
આ સમયે ઇન્દ્ર જ્ઞાનના બળે જોયું તો પ્રભુની સાથે અચ્છર્દકની ચેષ્ટા જોવામાં આવી. તત્કાળ ઇન્દ્ર ધાર્યું કે પ્રભુના મુખેથી વાણી અસત્ય ન થાઓ. આમ ધારીને અચ્છદકની દશેય આંગળીઓ વજથી છેદી નાખી. તૃણને છેદતાં આ રીતે અચ્છદકને દુઃખી થયેલો જોઈને ગામના લોકો હસવા લાગ્યા. અચ્છદંક ત્યાંથી અન્યત્ર ચાલ્યો ગયો.
- સિદ્ધાર્થ વ્યંતરે ગામના કેટલાક લોકોની ખોવાયેલી વસ્તુઓનાં સ્થાન બતાવ્યાં. આથી ગામ લોકો વીર પ્રભુને વંદન કરવા લાગ્યા. એક વાર અચ્છક એકાંતે શ્રી વીરપ્રભુ પાસે આવીને વિનમ્ર ભાવે બોલ્યા : ભગવદ્ આપ અહીંથી અન્યત્ર પધારો. આપ તો સર્વત્ર પૂજનીય છો. હું માત્ર અહીં જ જાણીતો છું, મેં અજાણતાં આપના પ્રતિ અવિનય કર્યો તેનું ફળ પણ પ્રાપ્ત થયું છે. મારા પર કૃપા વરસાવીને મારી વિનંતીનો સ્વીકાર કરો.”
અચ્છદંકની વિનંતી સાંભળીને અપ્રીતિવાળા સ્થાનનો પરિહાર કરવાના અભિગ્રહવાળા શ્રી વીર પ્રભુ ત્યાંથી ચાવાળ નામના સન્નિવેશ તરફ ચાલ્યા. ત્યાં સુવર્ણવાળુકાના તટ પર તેમનું અધ દેવદુષ્ય વસ્ત્ર કાંટા સાથે ભરાઈ ગયું. થોડે ચાલ્યા પછી પ્રભુએ વિચાર્યું કે આ વસ્ત્ર અયોગ્ય સ્પંડિલ ભૂમિએ ભ્રષ્ટ ન થાઓ.” આમ વિચારીને જરા પાછળ જોઈને શ્રી વીર પ્રભુ આગળ ચાલ્યા.
હવે પેલો બ્રાહ્મણ જે પ્રભુની પાછળ ફરતો હતો. તે તેર માસે આ અર્ધ વસ્ત્ર લઈને પ્રભુને વંદીને પોતાને ગામ આવ્યો. તે અર્ધ વસ્ત્ર વણકરને આપ્યું. તુણનારે દેવદુષ્ય વસ્ત્રને ન દેખાય તે રીતે સાંધ્યું. પછી તે વેચતા એક લાખ દિનાર ઊપજ્યા. તે બન્નેએ અડધા અડધા વહેંચી લીધા.
શ્રી વીરપ્રભુ વિહાર કરતાં શ્વેતાંબી નગરી તરફ ચાલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org