________________
શ્રી મહાવીર સ્વામી
૨૫૧
ગામના લોકો, ઈન્દ્રશમાં પૂજારી તથા ઉત્પલ નિમિત્તજ્ઞ વગેરે ત્યાં આવ્યા. પ્રભુને અક્ષત અંગવાળા અને પૂજેલા જોઈને બધા લોકો હર્ષ પામ્યા.
ઉત્પલ નિમિત્તશે પોતાના જ્ઞાનના બળે પ્રભુને દશ સ્વખો આવ્યાં હતાં તે જાણી લીધું અને તેણે પ્રભુને કહ્યું : “ભગવંત, આપે જે રાત્રીનાં દશ સ્વપ્નો જોયાં તેનું ફળ તો આપ જાણો જ છો, પણ હું ભક્તિવશ થઈને તેનું ફળ જણાવું છું. પ્રથમ સ્વપ્ન તમે જે તાલપિશાચને હણી નાખ્યો એ રીતે મોહને હણી નાખશો. બીજા સ્વખે જે શુકલ કોકિલ જોયો. તેથી આપ શુકલ ધ્યાન પર બિરાજશો. ત્રીજા સ્વપ્ન વિચિત્ર કોકિલથી આપ દ્વાદશાંગીને વિસ્તારશો. પાંચમા સ્વપ્નમાં ગોવર્ગ જોયો. તેથી તમારે ચતુર્વિધ સંઘ થશે. છઠ્ઠા સ્વપ્ન જે પા સરોવર જોયું તેથી દેવોનો સમૂહ તમારા સેવકો થશે. સાતમા સ્વખે જે સમુદ્ર તરી ગયા તેથી આ ભવ સમુદ્ર તરી જશો. આઠમા સ્વપ્ન જે સૂર્ય જોયો તેથી આપને કેવળજ્ઞાન થશે. નવમા સ્વપ્ન જે આંતરડાથી વીંટાયેલો માનુષોત્તર પર્વત જોયો. તેથી આપનો પ્રતાપયુક્ત યશ વિસ્તૃત થશે. અને દશમે સ્વપ્ન જે મેરગિરિના શિખર ઉપર ચડ્યા તેથી આપ સિંહાસન પર બેસીને ધર્મનો ઉપદેશ આપશો. આ પ્રમાણે હું નવ સ્વખોનું ફળ જાણું છું. પણ ચોથા સ્વપ્નમાં આપે જે બે માળાઓ જોઈ તેનું ફળ જાણતો નથી.'
ત્યારે વીર પ્રભુએ કહ્યું: “એ બે માળાનું ફળ એવું છે કે હું ગૃહસ્થનો અને યતિનો એમ બે પ્રકારે ધર્મ કહીશ.'
પછી ઉત્પલ નિમિત્તજ્ઞ તથા ગામના લોકો પ્રભુને વંદન કરીને પોતાના સ્થાને ગયા. ત્યાંથી આઠ અધ માસક્ષપણ કરવા પૂર્વક ચાતુર્માસ પૂરું કરીને અન્યત્ર વિહાર કર્યો. દીક્ષા ગ્રહણ કર્યા એ દિવસથી એક વર્ષ પસાર થયા પછી વીર પ્રભુ મોરાક ગામે આવ્યા. આ ગામમાં અચ્છદંક નામનો પાખંડી મંત્ર-તંત્રથી પોતાની આજીવિકા ચલાવતો હતો. તે વાત સિદ્ધાર્થ વ્યંતરથી સહન ન થતાં પ્રભુના શરીરમાં પ્રવેશીને ગામલોકોનું ભવિષ્ય કહેવા લાગ્યો. આથી ગામના લોકો ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org