________________
શ્રી મહાવીર સ્વામી
૨૫૯
આની ઉપર લોઢાનો ધણ મારીને એ અમંગલ નષ્ટ કરું.'
અને દુષ્ટ લુહાર તરત જ પ્રભુને મારવા માટે પણ ઉપાડીને દોડ્યો. ત્યાં ઇદ્ર ઉપયોગ મૂકી જોતાં ત્યાં આવી લુહારને ધણ લઈને પ્રભુને મારવા જતાં જોયો અને ઈદ્ર તેજ ધણ લુહારના માથામાં માય. લુહાર મૃત્યુ પામ્યો.
ત્યાંથી વિહાર કરીને શ્રી મહાવીર પ્રભુ પ્રામક નામના ગામે રોકાયા. ત્યાંથી પ્રભુ શાલિશીર્ષ નામના ગામે આવ્યા. ત્યાં ઉદ્યાનમાં પ્રતિમા ધારીને ઊભા રહ્યાં તે વખતે માહ માસની પ્રખર ઠંડી પડતી. હતી. ત્યાં કટપૂતના નામની વાણવ્યંતરી દેવી હતી. તે પૂર્વ જન્મમાં ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં પ્રભુની અણમાનતી વિજયવતી નામે રાણી હતી. તે મૃત્યુ પામીને ઘણા ભવ ભમીને બાળ તપ કરીને વ્યંતરી થઈ હતી. પૂર્વના વૈરથી તાપસીનું રૂપ વિકુર્તી માથે જટા ધારણ કરીને વલ્કલના વસ્ત્રો ધારણ કરીને હિમ જેવા શીતળ જળમાં શરીરને બોળી પ્રભુની ઉપર ઊંચે ઊભી રહી. શરીરને કંપાવવા લાગી. તેથી શરીર પરના શીતળ બિંદુઓ પ્રભુની ઉપર પડવા લાગ્યા. આખી રાત્રી શીતોપસર્ગને કારણે પ્રભુને લોકાવધિ જ્ઞાન ઉત્પન્ન થયું પ્રભાત કટપૂતના શાંત થઈ ગઈ. પછી તે ઘણો પશ્ચાત્તાપ કરવા લાગી. એણે પ્રભુની પૂજા કરી, પછી તે પોતાના સ્થાનકે ગઈ.
ત્યાંથી વિહાર કરીને શ્રી મહાવીર પ્રભુ ભદ્રિકાપુરી દીક્ષા લીધા પછીનું છઠ્ઠું ચોમાસું કરવા આવ્યા. ત્યાં છ માસે ગોશાળ આવીને મળ્યો. પૂર્વની જેમ તે પ્રભુની સેવા કરતો સાથે રહ્યો. પ્રભુએ વિવિધ અભિગ્રહપૂર્વક ત્યાં ચાર માસક્ષપણ કર્યા પછી વષકાળ નિર્ગમન કરીને નગરી બહાર પારણું કર્યું.
શ્રી મહાવીર સ્વામી ત્યારપછી આઠ માસ સુધી ઉપસર્ગ વગર મગધદેશની ભૂમિમાં વિહાર કર્યો. આલંભિકા નગરીમાં ચાર માસક્ષપણ કરીને ચાતુમસ રહ્યાં. એ પછી કુંડક ગામે આવ્યાં. ત્યાં વાસુદેવના મંદિરમાં રહ્યાં ત્યાંથી મદન ગામે જઈને બહુશાળ નામના ગામમાં આવ્યા ત્યાં શાળવી નામના ઉદ્યાનમાં પ્રભુ પ્રતિમા ધરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org