________________
શ્રી મહાવીર સ્વામી
અભ્યાસથી પ્રભુએ તેને મળવાને માટે તેની સામે હાથ પસાર્યો. કુલપતિએ ત્યાં રહેવાની પ્રાર્થના કરી એટલે મહાવીર એક રાત્રી રહ્યા. સવારે વિહાર કરતાં પ્રભુને કહ્યું : “વર્ષાકાળે અત્રે પધારજો.' કુલપતિનું વચન સ્વીકારી પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. ગ્રીષ્મકાળ પસાર કરીને ચાતુર્માસ કરવા પ્રભુ પાછા મોરાક ગામે આવ્યા. તૃણથી આચ્છાદિત કુટિરમાં પ્રભુ પ્રતિમા ધારીને રહ્યા. વર્ષાના અભાવે ગામની ગાયો તૃણ (ઘાસ) ખાવા તાપસોની કુટિર તરફ આવી, તાપસોએ ગાયોને દૂર હડસેલી, પરંતુ પ્રભુ પ્રતિમાધારી હોવાથી ગાયોને હાંકી નહિ. તેથી પ્રભુની કુટિરનું બધું ઘાસ ગાયો ખાઈ ગઈ.
તાપસોએ કુલપતિને કહ્યું : “આવો આળસુ કોણ છે જે પોતાની કુટિરનું પણ રક્ષણ કરી શકતો નથી. કુલપતિએ પ્રભુ પાસે આવીને મીઠો ઠપકો આપ્યો.
૨૪૯
પ્રભુએ વિચાર્યું કે સર્વનું હિત ઇચ્છનારા મારે અહીં રહેવું યોગ્ય નથી. એમ વિચારીને પાંચ અભિગ્રહ ધારણ કર્યાં.
(૧) કદિપણ જ્યાં અપ્રીતિ થાય તેને ઘેર વસવું નહિ (૨) કાઉસગ્ગ કરીને જ રહેવું (૩) પ્રાયઃ મૌન જ રાખવું (૪) કરપાત્ર વડે જ ભોજન કરવું (૫) ગૃહસ્થનો વિનય કરવો નહિ.
આ પ્રમાણે પાંચ અભિગ્રહ લઈને વર્ષાઋતુનો અર્ધમાસ વ્યતીત થયા છતાં પણ ત્યાંથી વિહાર કરીને પ્રભુ અસ્થિક નામના ગામમાં આવ્યા. ગામના લોકોએ ના પાડવા છતાં શૂલપાણિ યક્ષના મંદિરમાં રાત્રીકાળે પ્રતિમાધારીને પ્રભુ રહ્યા. સૂર્ય અસ્ત પામ્યો એટલે પ્રભુ જ્યાં કાયોત્સર્ગ કરીને રહ્યા હતા ત્યાં શૂલપાણી વ્યંતરે અટ્ટહાસ્ય કર્યું. અંતરના ભયંકર અટ્ટહાસ્યનો ધ્વનિ ગામના લોકોએ સાંભળ્યો. અને સૌ ધ્રૂજી ઊઠ્યા અને વિચારવા લાગ્યા કે જરૂર અંતર પેલા મુનિવરને મારી નાખશે...' તે વખતે પાર્શ્વનાથ સ્વામીના સાધુઓમાં ફરનાર ઉત્પલ નામનો પરિવ્રાજક ત્યાં આવ્યો હતો. તેણે લોકો પાસેથી મહાવીરનું વૃત્તાંત સાંભળ્યું. એને થયું કે “રખે તે છેલ્લા તીર્થંકર હોય...’ અને ઉત્પલને ચિંતા થવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org