________________
ચોવીશ તીર્થંકર
પ્રભુ સ્થાણુની જેમ પ્રતિમા ધરીને ઊભા રહ્યા. તે સમયે એક ગોવાળે તેના વૃષભને ત્યાં ચરવા મૂક્યો. ગોવાળ ગામમાં જઈને સાંજે પાછો ફર્યો તો પોતાનો વૃષભ જોવા ન મળ્યો. આથી તે ક્રોધિત થઈને પ્રભુને મારવા દોડ્યો તે સમયે શક્રઈન્દ્રને વિચાર થયો કે પ્રભુ પ્રથમ દિવસે શું કરે છે તે જોઉં.’ એમ વિચારીને જ્ઞાન વડે જોવા લાગ્યો. ત્યાં ગોવાળને પ્રભુને માર મારવા ઉદ્યત થયેલો જોયો. એટલે એને સ્થંભિત કરીને ઇન્દ્ર પ્રભુ પાસે આવ્યો અને ગોવાળને કહેવા લાગ્યો : ‘અરે પાપી, આ સિદ્ધાર્થ રાજાના પુત્રને જાણતો નથી ? પછી ઇન્દ્રે ત્રણ પ્રદક્ષિણા કરીને નમન કર્યા અને વિનંતી કરી : “સ્વામી, આપને બાર વર્ષ સુધી ઉપસર્ગની પરંપરા થશે. માટે તેનો નિષેધ કરવા હું સેવક બનીને આપની સાથે રહેવા ઇચ્છું છું.' વીર પ્રભુ સમાધિ પારીને બોલ્યા : ‘અર્હતો કદી પણ પર સહાયની અપેક્ષા રાખતા નથી. વળી અત્યંત પ્રભુ બીજાની સહાયથી કેવળ જ્ઞાન ઉપાર્જન કરે એવું થયું નથી, થતું નથી. અને થાશે પણ નહિ. જિનેદ્રો કેવળ પોતાના વીર્યથી જ કેવળ જ્ઞાન પામે છે. અને મોક્ષે જાય છે.'
૨૪૮
પ્રભુનાં આવાં વચનો સાંભળીને ઇન્દ્ર બાલતપસ્યાથી વ્યંતર દેવમાં ઉત્પન્ન થયેલા પ્રભુની માસીના પુત્ર સિદ્ધાર્થને આજ્ઞા કરી કે કે તારે પ્રભુની પાસે રહેવું અને જે પ્રભુને મારવાનો ઉપસર્ગ કરે તેને તારે અટકાવવો. આ પ્રમાણે કહીને ઇન્દ્ર સ્વસ્થાનકે ગયા અને સિદ્ધાર્થ તેમની આશા સ્વીકારીને પ્રભુ પાસે રહ્યો.
વીરપ્રભુ છઠ્ઠનું પારણું ક૨વાને માટે કોલાક ગામમાં બહુલ નામના બ્રાહ્મણને ત્યાં ગયા. ત્યાં સાકર વગેરેથી મિશ્રિત પરમાનથી પ્રભુએ પારણું કર્યું. તે બ્રાહ્મણને ઘેર દેવતાઓએ વસુધારા વગેરે પાંચ દિવ્યો પ્રગટ કર્યાં. ત્યારપછી વીરપ્રભુ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા.
એકવાર વિહાર કરતાં કરતાં પ્રભુ મોરાક નામના ગામમાં આવ્યા. ત્યાં દુઈજ્જતક જાતિના તાપસો રહેતા હતા. તે તાપસોનો કુલપતિ પ્રભુના પિતાનો મિત્ર હતો. તે પ્રભુની પાસે આવ્યો. પૂર્વના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org