________________
શ્રી મહાવીર સ્વામી
૨૪૭
આપ્યું. પ્રભુએ પંચમુષ્ઠિ લોચ કરી સિદ્ધને નમસ્કાર કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. જન્મથી ત્રીશ વર્ષ નિર્ગમન થતા માગશર વદ દશમીએ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવતાં છઠ્ઠ તપથી યુક્ત દિવસના પાછલા પ્રહરે પ્રભુએ દીક્ષા લીધી. તે વખતે પ્રભુને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું.
દીક્ષા લીધા પછી મહાવીર પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કરવા માટે રાજા નંદિવર્ધનની તથા જ્ઞાતવંશના પુરુષોની રજા લીધી. પ્રભુ વિહાર કરવા આગળ ચાલ્યા ત્યાં તે વખતે તેમના પિતાનો મિત્ર સોમ નામે એક વૃદ્ધ બ્રાહ્મણે ત્યાં આવીને કહ્યું : “આપે વાર્ષિક દાન આપ્યું તેથી જગત દારિદ્રય રહિત થયું. પણ હું એક દરિદ્ર રહી ગયો છું. આપ મારા પર કૃપા કરીને દાન આપો. મારી પત્નીએ તિરસ્કાર કરીને મને આપની પાસે મોકલ્યો.
મહાવીર સ્વામીએ કરુણા લાવીને કહ્યું : “હે વિપ્ર, હવે તો હું નિસંગ થયો છું. તથાપિ મારા ખભા ઉપર જે આ વસ્ત્ર છે તેનો અડધો ભાગ તું લઈ લે....'
તે વૃદ્ધ બ્રાહ્મણ સોમ અર્ધ વસ્ત્ર લઈ હર્ષ પામતો પામતો પોતાના ઘેર આવ્યો. પછી છેડા બંધાવવાને તુણનાર વણકરને તે વસ્ત્ર બતાવ્યું. વસ્ત્ર જોઈને તુણનારે કહ્યું: “આ વસ્ત્ર તને ક્યાંથી મળ્યું?
સોમ બ્રાહ્મણે કહ્યું: “શ્રી મહાવીર પ્રભુની પાસેથી.'
તુણનાર કહેઃ “તું પાછો ત્યાં જાય અને બીજો અડધો ભાગ તે મુનિની પાસેથી લઈ આવવા માટે પછવાડે ફર...તે મુનિને આમતેમ ફરતાં કોઈ કાંટા ઝાંખરામાં તે વસ્ત્ર ભરાઈ જશે અને વસ્ત્ર પડી જશે. પછી તે નિઃસ્પૃહી મુનિ તેને ગ્રહણ કરશે નહિ એટલે તું તે વસ્ત્ર લઈને અહીં આવતો રહેજે. પછી હું એ વસ્ત્ર સરસ કરી દઈશ. તેનું મૂલ્ય એક લાખ દીનાર ઊપજશે. પછી આપણે બન્ને સરખે ભાગે વહેંચી લઈશું.”
સોમ બ્રાહ્મણ તરત જ રાજી થતો પ્રભુની પાછળ પાછળ ભમવા લાગ્યો.
દીક્ષાના લીધાના પ્રથમ દિવસે પ્રભુ કુમરિ ગામમાં આવ્યા. ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org