________________
૨૪૬
ચોવીશ તીર્થંકર
સમયે શૈર્ય ધારણ કરીને ધર્મનું આચરણ કરવું તે જ શ્રેષ્ઠ છે. શોક તો કાયર પુરુષો કરે છે.
પ્રભુના શબ્દોથી નંદિવર્ધનને સાંત્વન મળ્યું. નંદિવર્ધને પિતાનું રાજ્ય સ્વીકારવા પ્રભુને પ્રાર્થના કરી. પરંતુ સંસારથી ઉગ પામેલા વીર પ્રભુએ પિતાનું રાજ્ય સ્વીકાર્યું નહિ ત્યારે મંત્રીઓએ મળીને, આગ્રહથી નંદિવર્ધનનો રાજ્યાભિષેક કર્યો
મહાવીર સ્વામીએ દીક્ષા ગ્રહણ કરવા માટે નંદિવર્ધન પાસે રજા માગી એટલે નંદિવર્ધન શોકથી ગદ્ગદિત વાણીએ બોલ્યા : ભ્રાતા, હજુ માતાપિતાના વિયોગને ભૂલી શક્યો નથી. પરિવારજનો શોકથી વિમુક્ત થયેલ નથી. તેવામાં તમે મને વિયોગ આપીને ક્ષત ઉપર ક્ષાર નાખવાનું કેમ કરો છો ?”
બંધુના શબ્દો સાંભળીને મહાવીર સ્વામી કશું બોલ્યા નહિ. તેઓની દૈનિક ક્રિયા બદલાઈ ગઈ. તેઓ રાજભવનમાં હતા છતાં નહોતા તે રીતે રહેવા લાગ્યા. નિત્ય કાયોત્સર્ગ ધરતા, બ્રહ્મચર્યમાં તત્પર રહેતા. આભૂષણો, અંગરાગ વગેરેનો ત્યાગ કરતાં માંડ માંડ એક વર્ષ પસાર કર્યું.
પછી લોકાંતિક દેવતાઓએ આવીને કહ્યું કે “તીર્થ પ્રવતવો... એટલે વીર પ્રભુએ યાચકોની ઇચ્છા પ્રમાણે વાર્ષિક દાન આપ્યું પછી ઇન્દ્રાદિક દેવોએ અને નંદિવર્ધન વગેરે રાજાઓએ શ્રી વીર પ્રભુનો યથાવિધિ દીક્ષાભિષેક કર્યો. નંદિવર્ધન રાજાએ સેવકોને સર્વ શ્રેષ્ઠ શિબિકા તૈયાર કરવાની આજ્ઞા આપી. ચંદ્રપ્રભા નામની શિબિકા તૈયાર કરવામાં આવી. ચંદ્રપ્રભા શિબિકા પચાસ ધનુષ લાંબી છત્રીસ ધનુષ ઊંચી અને પચ્ચીસ ધનુષ પહોળી હતી. ઇન્ટે કરાવેલી શિબિકા તેમાં સમાઈ ગઈ. પ્રભુ શિબિકામાં ચડીને સિંહાસન પર પૂર્વાભિમુખે બિરાજમાન થયા અને ઇન્દ્રો, દેવતાઓ. રાજાઓ તથા હજારો માણસોની ઉપસ્થિતિમાં વાજતેગાજતે શિબિકા જ્ઞાત ખંડ નામના ઉદ્યાનની નજીક આવી અને મંગલમય પ્રવેશ કર્યો. પ્રભુએ સર્વ આભુષણો ઉતારી નાખ્યા. ઇન્દ્ર પ્રભુના અંધ ઉપર દેવ દુષ્ય વસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org