________________
શ્રી મહાવીર સ્વામી
વ્યાકરણ એવા નામથી પ્રખ્યાત કર્યું.
સાત હાથ ઊંચી કાયાવાળા પ્રભુએ અનુક્રમે યૌવનમાં પ્રવેશ કર્યો. યૌવનમાં પ્રવેશ થયો હોવા છતાં પ્રભુમાં લેશમાત્ર વિકાર ઉત્પન્ન થયો નહિ. સમરવીર રાજાએ પોતાની યશોદા નામની કન્યા વર્ધમાન સ્વામીને આપવા મંત્રીઓની સાથે ત્યાં મોકલી. મંત્રીઓ ક્ષત્રીયકુંડ આવ્યા અને સિદ્ધાર્થ રાજાને વિનંતી કરતાં કહ્યું. અમારા સ્વામીએ પોતાની પુત્રી યશોદા આપના પુત્રને આપવા માટે અમારી સાથે મોકલેલ છે અમારા પર પ્રસન્ન થઈને તેનો અનુગ્રહ કરો...
૨૪૫
સિદ્ધાર્થ રાજાએ જણાવ્યું કે વર્ધમાન તો સંસારથી વિરક્ત છે. અમારી ઈચ્છા પુત્રના વિવાહ થાય તે જોવાની છે. પરંતુ અમે એને કહી શકતા નથી છતાં તમારા આગ્રહથી તેના મિત્રો દ્વારા વાત કહેવરાવીશું. સિદ્ધાર્થ રાજાએ ત્રિશલા દેવીને વાત કરી. ત્રિશલા દેવી અને વર્ધમાન કુમાર વચ્ચે વાત થઈ. માતાના અતિ આગ્રહને જોઈને અને એમનો અંતરાત્મા દુભાય નહિ તે રીતે મારે ગૃહવાસમાં રહેવું જોઈએ. આવું વિચારીને પ્રભુએ માતાની વાતનો સ્વીકાર કર્યો.
ત્રિશલાદેવીએ હર્ષિત થઈને સિદ્ધાર્થ રાજાને વાત કરી અને પવિત્ર દિવસે મહાવીરકુમા૨ અને યશોદાનો વિવાહોત્સવ રચાયો. સમય જતાં યશોદાને પ્રિયદર્શના નામની પુત્રી થઈ. મહાકુળવાન અને સમૃદ્ધિવાન જમાલિ નામના રાજપુત્ર સાથે રાજકુમારી પ્રિયદર્શનાના વિવાહ થયા.
કરીને
પ્રભુને જન્મથી અઠ્યાવીશ વર્ષ થયા એટલે માતાપિતા અનશન મૃત્યુ પામીને અચ્યુત દેવલોકમાં દેવ થયા.
સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીના જીવ અચ્યુત દેવલોકમાંથી અવી, અપરવિદેહ ક્ષેત્રમાં મનુષ્યભવ પામીને અવ્યય પદને પ્રાપ્ત થશે. માતાપિતાનો અંગસંસ્કાર કર્યા પછી કેટલાક દિવસો વીતી ગયા પછી એક દિવસે પ્રભુએ નંદિવર્ધનને કહ્યું: “બંધુ, જીવને મૃત્યુ હંમેશા પાસે જ રહેલું છે. જેનો જન્મ એનું મૃત્યુ નિશ્ચિત છે. તેથી મૃત્યુ પ્રાપ્ત થયે પ્રાણીએ તેનો શોક કરવો એ કાંઈ તેનો પ્રતિકાર નથી. આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org