________________
૨૪
ચોવીશ તીર્થંકર
જાણીને ઇન્દ્ર દેવતાઓની સભામાં પ્રભુના ધીરપણાની પ્રશંસા કરી. તે સાંભળીને કોઈ મત્સરી દેવ “હું તે મહાવીરને ક્ષોભ પમાડું એવું ધારીને
જ્યાં પ્રભુ ક્રીડા કરતા હતા ત્યાં તે આવ્યો. તે વખતે પ્રભુ આમલકી ક્રીડા કરતા હતા. ત્યાં તે દેવ કોઈ વૃક્ષના મૂળ પાસે માયાથી મોટો સર્પ થઈને રહ્યો. વિશાળકાય સર્પ જઈને બધા રાજપુત્રો ત્રાસ પામીને દશે દિશામા નાશી છૂટ્યા. એટલે પ્રભુએ હસતા હસતા વિશાળકાય સપને દોરીની જેમ પકડીને દૂર ફેંકી દીધો. રાજકુમારો આ જોઈને લજ્જિત થયા અને ફરીને રમવા એકઠા થયા.
ત્યાં તે મત્સરી દેવ રાજકુમારનું રૂપ ધારણ કરીને આવ્યો, બધા રાજકુમારો એક વૃક્ષ પર ચડ્યા. પ્રભુ બધા રાજકુમારોથી પ્રથમ વૃક્ષના અગ્રભાગે ચડી ગયા. આ રમતમાં પણ પ્રભુનો વિજય થયો. આ રમતમાં એવું હતું કે જે હારી જાય તે બીજાઓને પોતાના પુષ્ટ ઉપર ચડાવીને વહન કરે, એટલે રાજપુત્રો અશ્વની જેમ વીર પ્રભુને પોતાના પુષ્ટ પર બેસાડીને વહન કરવા લાગ્યા. અનુક્રમે વીર પ્રભુ પેલા દેવના પુષ્ટ પર આરૂઢ થયા. તત્કાળ તે દુષ્ટ બુદ્ધિવાળો દેવ વિકરાળરૂપ ધારણ કરીને પર્વતોને નીચા કરે તે રીતે વધવા લાગ્યો. ભયંકર રૂપ ધારણ કર્યું. તેટલામાં તો તેનું સ્વરૂપ જાણીને વીર પ્રભુએ તેના પૃષ્ટ ભાગમાં એક પુષ્ટિપ્રહાર કરીને વામન કરી નાખ્યા પછી તે દેવ ઈન્ટ કરેલા ભગવંતના ઘેર્યને પ્રત્યક્ષ જોઈને પોતાનું સ્વરૂપ પ્રગટ કરી પ્રભુને વંદન કરીને પોતાના સ્થાનકે ગયો.
પ્રભુ આઠ વરસ ઉપરાંતના થયા એટલે પિતાએ તેમને અભ્યાસ કરાવવા માટે પાઠશાળામાં મૂકવાનો પ્રબંધ કર્યો. તે વખતે ઇદ્રનું આસન ચલિત થયું. ઇન્દ્ર અવધિજ્ઞાનથી પ્રભુના માતાપિતાની સરળતા જાણી અને થયું કે શું સર્વજ્ઞ પ્રભુને શિષ્યપણું હોય? આમ વિચારીને તત્કાળ ઇન્દ્ર ત્યાં આવ્યો. પ્રભુને પાઠશાળામાં લઈ જવામાં આવ્યા. ત્યાં ઇન્દ્ર પ્રભુને ઉપાધ્યાયના આસન પર બેસાડ્યા. પછી પ્રણામ કરીને પ્રાર્થના કરી. એટલે પ્રભુએ શબ્દ પારાયણ વ્યાકરણ કહી બતાવ્યું. એ શબ્દાનુશાસન ભગવંતે ઇન્દ્રને કહ્યું. તે સાંભળી ઉપાધ્યાયે લોકમાં એંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org