________________
શ્રી મહાવીર સ્વામી
ઉત્પન્ન થઈ. આથી ઇન્દ્રની આશંકા દૂર કરવા માટે પ્રભુએ ડાબા ચરણના અંગુઠાથી મેરુગિરિને દબાવ્યો અને શિખરો નમી ગયા. સમુદ્રો ઉછળવા લાગ્યા. પૃથ્વી કંપવા લાગી. આ પ્રમાણેનો ઉત્પાત જોઈને ઇંદ્ર વિચારમાં પડ્યો કે આ એકાએક શું થયું ? તરત જ ઇકે અધિજ્ઞાનથી જોતાં પ્રભુના પરાક્રમની લીલા જાણવામાં આવી.
ઇન્દ્રે પ્રભુના ચરણમાં મસ્તક નમાવતાં કહ્યું, ‘પ્રભુ, આવું અસાધારણ આપનું મહાત્મ્ય મારા જેવા પામર શી રીતે જાણી શકે ? મેં વિપરીત ચિંતવ્યું તે મારું દુષ્કૃત્ય મિથ્યા થજો...' આમ કહીને ઇન્દ્રે પ્રભુને વંદન કર્યાં. પછી ઇન્દ્રોએ જલવડે અભિષેક કર્યો. ત્યારપછી સૌધર્મેન્દ્રે ઈશાન ઇન્દ્રના ઉત્સંગમાં પ્રભુને બિરાજમાન કરીને સ્નાન, અર્ચન અને આરતી ઉતારીને ભાવભર્યા હૈયે સ્તુતિ કરી.
સ્તુતિ કર્યા પછી. પ્રભુને લઈ સૌધર્મેન્દ્ર પ્રભુને લઈને ત્રિશલામાતા પાસે આવ્યા અને શય્યામાં મૂક્યા, તેમનું પ્રતિબિંબ અને અવસ્તાપનિકા નિદ્રા હરી લીધી. પછી ઉશીષે ક્ષૌમવસ્ત્ર તથા બે કુંડલ અને પ્રભુની શય્યા ઉપર શ્રી દામ ગંડક મૂકીને ઇન્દ્ર પોતાના સ્થાને ગયા. તે સમયે ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલ જ઼ભક દેવતાઓએ સિદ્ધાર્થ રાજાના ગૃહમાં સુવર્ણ, માણિક્ય અને વસુધારાની વૃષ્ટિ કરી.
પ્રાતઃકાળે રાજા સિદ્ધાર્થે પ્રભુનો જન્મોત્સવ રચ્યો. કારગારમાંથી સર્વ કેદીઓને મુક્ત કર્યાં નગરજનો વધાઈ આપવા આવવા લાગ્યા. સિદ્ધાર્થ રાજાએ બારમા દિવસે સર્વ જ્ઞાતિજનોને તથા બાંધવોને બોલાવીને મંગળ ભેટો લાવેલા તેઓને સારી રીતે પ્રતિદાન આપવાપૂર્વક સત્કાર કર્યો. પણ સિદ્ધાર્થ રાજાએ તેઓને કહ્યું કે આ પુત્ર ગર્ભમાં આવતા અમારા ઘરમાં, નગરમાં અને માંગલ્યમાં ધનાદિકની વૃદ્ધિ થયેલી છે તેથી તેનું નામ વર્ધમાન એવું નામ હો...' બધાએ હર્ષ પામીને કહ્યું : ‘એમ જ થાઓ.’
એક વાર આઠ વર્ષથી કંઈક ઓછી વયના પ્રભુ સમાન વયના રાજપુત્રોની સાથે ક્રીડા કરવા માટે ગયા તે સમયે અવધિજ્ઞાન વડે
Jain Education International
For Private & Personal Use Only
૨૪૩
www.jainelibrary.org