________________
૨૪૨
ચોવીશ તીર્થંકર
માતા ઉદરમાં ગર્ભ છે કે નહિ તે સમજી શક્યા નહિ. આથી ત્રિશલાદેવીને ચિંતા પેઠી કે મારો ગર્ભ હલતો ચાલતો નથી તેથી શું ગળી ગયો. નાશ પામ્યો છે ? હવે મારે જીવવાનું શું કામ છે ? આમ કહીને રૂદન કરવા લાગ્યા.
આ સમાચાર સાંભળીને સિદ્ધાર્થ રાજા, નંદિવર્ધન, સુદર્શના બધા ખેદ પામ્યા. તે અવસરે ત્રણ જ્ઞાનના ધારક પ્રભુએ જ્ઞાન વડે જાયું કે પોતાના માતાપિતાને દુખ ઉત્પન્ન થયું છે અને તરત જ પ્રભુએ એક અંગુલિ ચલાયમાન કરી જેથી તરત “મારો ગર્ભ હજુ અક્ષત છે.” એવું જાણવામાં આવતા ત્રિશલાદેવી હર્ષ પામ્યા. ત્રિશલાદેવીએ બધાને વાત કરી તેથી સર્વત્ર આનંદ પ્રસરી ગયો.
પ્રભુએ વિચાર્યું કે જો હું માતાપિતાના જીવતા દીક્ષા ગ્રહણ કરીશ તો તેઓ મોહથી આર્તધ્યાન કરીને ઘણું અશુભ કર્મ ઉપાર્જન કરશે માટે તેમના જીવતા મારે દીક્ષા લેવી નહિ. એ પ્રમાણે અભિગ્રહ
કર્યો.
નવમાસ ને સાડાસાત દિવસ વ્યતિત થયા, ચૈત્ર માસની શુદ તેરસે ઉત્તરષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવતાં ત્રિશલાદેવી એ સિંહના લાંછનવાળા, સુવર્ણ સમાન કાંતિવાળા, અત્યંત સુંદર પુત્રને જન્મ આપ્યો. તે અવસરે ભોગંકરા વગેરે છપ્પન દિકકુમારીઓએ આવીને પ્રભુનું તથા માતાનું સૂતિકા કર્મ કર્યું.
ઈન્દ્ર પોતાના પરિવાર સાથે આસન ચલિત થવાથી આવી પહોંચ્યો. અહિતને તથા માતાને નમસ્કાર કરીને ત્રિશલાદેવી પર અવસ્વાપનિકા નિદ્રા મૂકી, પછી દેવીની પડખે ભગવંતનું પ્રતિબિંબ મૂકીને ઇન્દ્ર પોતાના શરીરનાં પાંચ રૂપ ધય. ઇન્દ્ર પ્રભુને મેરુગિરિ પર્વત પર લઈ ગયો. ત્યાં અતિ પાંડુકંબલા નામની શિલા પર પ્રભુને ઉત્કંગમાં લઈને ઇદ્ર સિંહાસન પર બેઠો. તે વખતે ત્રેસઠ ઈન્દ્રો પ્રભુને સ્નાત્ર કરવા માટે ત્યાં આવ્યા. આભિયોગિક દેવતાઓ સ્નાત્ર માટેનું જળ લઈને આવ્યા. તે વખતે ભક્તિથી કોમળ ચિત્તવાળા શક્ર ઈન્દ્રને થયું કે આટલો બધો જળનો ભાર પ્રભુ શી રીતે સહન કરી શકશે ? એવી શંકા ઇન્દ્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org