________________
૨૪૦
ચોવીશ તીર્થંકર
તેટલામાં દેવતાઓ આવ્યા અને જયજય શબ્દનો ઉચ્ચાર કરીને, એમને વધાવીને સ્નાનગૃહમાં લઈ જઈને જળથી અભિષેક કર્યો. અલંકારગૃહમાં લઈ જઈને અલંકારો પહેરાવ્યા. વસ્ત્રાભૂષણોથી શણગાર્યા. પછી ત્યાંથી વ્યવસાય સભામાં ગયા ત્યાં પોતાના કલ્પનું પુસ્તક વાંચ્યું. પછી પુષ્પાદિક પૂજા સામગ્રી લઈને સિદ્ધાલયમાં ગયા. ત્યાં એકસો ને આઠ પ્રતિમાઓને સ્નાત્ર કર્યું. અર્ચન, વંદના તથા સ્તવના કરી પછી પોતાની સુધમાં સભામાં આવીને સંગીત કરાવ્યું અને પોતાના તે વિમાનમાં રહીને યથારૂચિ ભોગ ભોગવવા લાગ્યા.
વિદેહક્ષેત્રોમાં જિનેશ્વર ભગવંતને વંદના કરી. અંત સમયે પણ વિશેષ શોભતા મોહ નહિ પામતા વીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. બીજા દેવતાઓ છ માસનું આયુષ્ય અવશેષ રહે ત્યારે મોહ પામે છે પરંતુ તીર્થંકર થનાર દેવતાઓ તો પુણ્યોદય અત્યંત નજીક આવેલા હોવાથી બિલકુલ મોહ પામતા નથી.
ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડ નામનું એક ગામ.
ત્યાં કોડાલસ, નામના કુળમાં ઉત્પન્ન થયેલ ઋષભદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને દેવાનંદા નામની સ્ત્રી હતી.
- અષાઢ માસની શુકલ પઠ્ઠીના દિવસે ચંદ્ર ઉત્તરષાઢા નક્ષત્રમાં આવતા નંદન મુનિનો જીવ દશમાં દેવલોકમાંથી અવીને દેવનંદાની કુક્ષિમાં અવતયાં તે વખતે સુખેથી સૂતેલા દેવાનંદાએ ચૌદ મહાસ્વખો. જોયા. પ્રાતઃકાળે દેવાનંદાએ તેના સ્વામીને ચૌદ સ્વપ્નોની વાત કરી. ત્યારે ઋષભદત્તે કહ્યું: “આ સ્વપ્નો જોવાથી તમારે ચાર વેદનો જાણકાર અને પરમ નિષ્ઠાવાળો પુત્ર થશે. અને પ્રભુ જ્યારે દેવાનંદાની કુક્ષિમાં આવ્યા ત્યારથી તે બ્રાહ્મણને મોટી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ.
દેવાનંદાના ગર્ભમાં પ્રભુના આવ્યા પછી વ્યાશી દિવસ પસાર થયા એટલે સૌધર્મ દેવલોકના ઇદ્રનું સિંહાસન ચલિત થયું. અવધિજ્ઞાનથી પ્રભુને દેવનંદાના ગર્ભમાં આવેલા જાણીને શક્રઈદ્ર સિંહાસન પરથી ઊભા થઈને નમસ્કાર કર્યો અને મનોમન ચિંતવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org