________________
શ્રી મહાવીર સ્વામી
એક વાર મુકાનગરીના ઉદ્યાનમાં પોટિલ નામના આચાર્ય સમોસર્યાં. તેમની પાસેથી ધર્મ સાંભળીને પ્રિયમિત્ર રાજાએ પુત્રને રાજસિંહાસન ૫૨ બેસાડીને દીક્ષા ગ્રહણ કરી. અને કોટી વર્ષ સુધી ઉત્કૃષ્ટ તપ કર્યું પછી એકંદરે ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને મૃત્યુ પામીને મહાશુક્ર દેવલોકમાં સવાર્થ નામના વિમાનને વિષે દેવતા
થયા.
મહાશુક્ર દેવલોકથી આવીને ભરતક્ષેત્રમાં છત્રા નામની નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામની રાણીની કુખે નંદન નામના પુત્ર થયા. નંદનકુમા૨ યૌવનવયમાં પ્રવેશ્યા ત્યારે જિતશત્રુ રાજાએ પુત્રને રાજગાદી સોંપીને દીક્ષા અંગીકાર કરી. નંદનરાજાએ પ્રજાવત્સલ રાજવી તરીકેની લોકચાહના મેળવી અનુક્રમે જન્મથી ચોવીશ લાખ વર્ષ પછી પોટિલાચાર્ય પાસે એણે દીક્ષા લીધી. નિરંતર માસખમણ કરતાં નંદનમુનિ ગુરુની સાથે વિહાર કરતા હતા. તેઓ આચાર-વિચાર, તપ, આરાધના, ધર્માભ્યાસ પૂર્ણ ધ્યાન આપ્યું નંદનમુનિએ એક લાખ વર્ષ સુધી તપ કર્યું. વીશસ્થાનકની આરાધના કરીને તીર્થંકર નામકર્મ નિકાચીત કર્યું.
૨૩૯
નંદનમુનિએ નિષ્કલંક સાધુપણાને આચરી, સર્વ જીવોને ખમાવી સર્વે અતિચારોને આલોવી સુકૃતની અનુમોદના, દુષ્કૃતની નિંદા, ચાર શરણ, શુભ ભાવના નમસ્કારનું સ્મરણ અને બે મહિનાનું અનશન એ રીતે છ પ્રકારની આરાધના કરીને પચ્ચીસ લાખનું આયુષ્ય પૂર્ણ કરીને પ્રાણાત નામના દશમા દેવલોકમાં પુષ્પોત્તર નામના વિમાનમાં ઉપપાદ શય્યામાં ઉત્પન્ન થયા. એક અંત મુહુર્તમાં મહર્દિક દેવ થઈ ગયા. દીક્ષા લીધા પછી એક લાખ વર્ષ સુધી માસખમણ કરતાં કુલ અગિયાર લાખ એંશી હજાર છસો પિસ્તાલીશ માસખમણ કર્યા.
દેવભવમાં વિશાળ સમૃદ્ધિ જોઈને તે વિસ્મય પામી ગયા. અને વિચારમાં પડ્યા કે આ બધું કયા તપથી મને પ્રાપ્ત થયું છે ? પછી અવધિજ્ઞાનથી જોતાં એમને પોતાનો પૂર્વભવ અને વ્રત યાદ આવ્યા પછી મનમાં વિચાર્યું કે અર્ધદ્ધર્મનો કેવો પ્રભાવ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org